કોલકાતાની એક 42 વર્ષીય મહિલાની તેના પ્રેમીએ નિર્દયતાથી હત્યા કરી હતી. હકીકતમાં, મહિલાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના પછી તેણે આ ભયંકર પગલું ભર્યું. મૃતકની ઓળખ ફરીદા ખાતૂન તરીકે થઈ છે, જે બેંગલુરુના એક સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. 


ગિરીશે ફરીદા પર છરી વડે અનેક વાર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, 'ફરીદા અને ગિરીશ 2022માં સંપર્કમાં આવ્યા જ્યારે ગિરીશ એક સ્પામાં ગયો હતો જ્યાં તે કામ કરતી હતી. તેમની મિત્રતા ખીલી અને પ્રેમમાં ફેરવાઈ. ફરીદા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેના બે બાળકોનું ધ્યાન રાખી રહી હતી. વળી, ફરીદાના પતિનું તાજેતરમાં જ અવસાન થયું હતું.


એક મહિના પહેલા ખાતુન પશ્ચિમ બંગાળ ગઈ હતી. તે 29 માર્ચે ગિરીશના જન્મદિવસ પહેલા, 26 માર્ચે તેની પુત્રીઓ સાથે બેંગલુરુ પરત આવી હતી. ગિરીશના જન્મદિવસની ઉજવણી કરવા ઉપરાંત તે તેની એક પુત્રી માટે કૉલેજ શોધવા માંગતી હતી. ફરીદાની દીકરીઓને હોટલમાં ડ્રોપ કર્યા બાદ તેઓ શાલિની ગ્રાઉન્ડ ગયા હતા. જ્યારે ગિરીશે તેની સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો, ત્યારે ફરીદાએ વિરોધ કર્યો અને તેણે કથિત રૂપે તેણીને સ્થળ પર ઘણી વાર ચાકૂથી વાર કર્યો.  આ પછી તે જયનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સરેન્ડર કર્યું.


પોલીસે જણાવ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે ગિરીશે 2011માં ઇસ્લામ કબૂલ કર્યો હતો પરંતુ તેની બહેન માટે સંબંધ કરવામાં  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, તેણે ફરી હિંદુ ધર્મ અપનાવ્યો પરંતુ આ દરમિયાન તે ઈસ્લામનું પણ પાલન કરતો હતો. 


સુરતમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંત


સુરતના વરાછા વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું છે.  વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. પ્રેમિકા તેમની બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યો હતો.  પ્રેમી-પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના ભાઈઓ પણ પહોંચી ગયા હતા. પ્રેમિકાના ભાઈ,મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને માર માર્યો હતો.  પ્રેમીને ઢોરમાર મારતા બેભાન થઈ ગયો હતો. પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.  વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 


નજીકમાં  રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો


સમગ્ર અહેવાલ અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મેહુલ સોલંકીને તેમની નજીકમાં  રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ  મામલે યુવતીના પરીવારને  જાણ થઈ જતા તેમણે મકાન બદલાવી અલગ જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. પરંતુ તેમ છત્તા યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ એકબીજા સાથે  સંપર્કમાં જોડાયેલા હતા. જેમાં ગીતા નગરની બાજુમાં આવેલી માધવપર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. જેથી પ્રેમિકા તેની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા માટે બોલાવ્યો હતો.


ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા


પ્રેમિકાના ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં આ બંને પ્રેમીઓ મળી રહ્યા હતા.  ભાઈએ મામા સાથે મળી પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વડે ઢોરમાર માર્યો હતો. આ  દરમ્યાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે ગયો હતો.જ્યાં ત્રણ લોકો મિત્ર મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાનીના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી જેથી પાર્થ નીચે આવી ગયો હતો.ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું.