ભાવનગરઃ તળાજાના એક જ ગામના પરણીત યુવક-યુવતીએ એકબીજા વગર ન રહી શકતા અને પ્રેમસંબંધ પરિવારના સભ્યો નહીં, સ્વીકારે તેવું લાગતા બંને આપઘાત કરી લીધો છે. પરણીત યુવક-યુવતીના આપઘાતને પગલે બે પરિવાર પર આભા તૂટી પડ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, તળાજાના એક ગામમાં રહેતા 42 વર્ષીય યુવકે લગ્ન કરેલા છે અને તેમને આ લગ્નથી 6 સંતાનો છે. તેમને ગામની જ એક પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. 39 વર્ષીય પ્રેમિકા પોતે પણ પરણીત છે અને લગ્નજીવનથી બે સંતાનો છે. 


આ બંને પ્રેમી યુગલ પોતાના પાટર્નરની જાણ બહાર એકાંત માણતા હતા. બંને એકબીજા વગર રહી શકતા નહોતા અને સાથે જીવવા-મરવાના કોલ પણ આપ્યા હતા. બીજી તરફ સમાજ તેમના પ્રેમને નહીં સ્વીકારે તેવો ભય પણ તેમને લાગી રહ્યો હતો. 


આમ, તેઓ એક નહીં થઈ શકે તેવું લાગતા બંને સાથે મરી જવાનો નિર્ણય કર્યો હતો અને આ બંનેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ બંનેની લાશ મળી આવી છે. બંનેના પરિવારને જાણ થતાં તેમના પર દુઃખનું આભ ફાટ્યું છે. ઘટનાસ્થળ નજીકથી બાઇક પણ મળી આવ્યું છે. 

Dwarka : પત્નીએ કોની સાથે મળીને કરી નાંખી પતિની હત્યા? શું છે કારણ?


દ્વારકાઃ મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી. 


રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે.