Chhapra News: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બિહારમાં પણ ચૂંટણી જંગ પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બિહારના છાપરામાં આજે મંગળવારે (21 મે) સવારે ચૂંટણીની દુશ્મનાવટના કારણે બે જૂથો વચ્ચે જબરદસ્ત ફાયરિંગની ઘટના ઘટી છે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે પટના રિફર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ જોમખથી બહાર છે. આ ઘટના છપરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીખારી ઠાકુર ચોક ખાતે બની હતી.


ભાજપ અને આરજેડી સમર્થકો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા છે. સરનના ડીએમ અમન સમીરે મૃત્યુની વાત સ્વીકારી લીધી છે. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હકીકતમાં ગયા સોમવારે (20 મે) સારણમાં ચૂંટણી દરમિયાન બૂથ નંબર 118 પર મતદાન દરમિયાન તણાવ વધી ગયો હતો. આ પછી આ હંગામો થયો.


ઘટનાસ્થળ પર પોલીસે લગાવ્યો કેમ્પ 
ઘટના અંગે જણાવવામાં આવે છે કે મંગળવારે સવારે કેટલાક લોકો ભીખારી ઠાકુર ચોક ખાતે ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. આ દરમિયાન એક બાજુથી કેટલાક લોકો આવ્યા અને બીજી બાજુથી લોકોને ધક્કો માર્યો. આ પછી વિવાદ વધી ગયો. ફાયરિંગ પણ થયું. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો આરજેડી સમર્થક છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ કંઈ કહી રહ્યું નથી. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે ધામા નાખ્યા છે.


અટકાયતમાં લેવાયા બીજેપી નેતા રમાકાન્ત સિંહ સોલંકી 
ગોળીબાર બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી એકને સારી સારવાર માટે પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી છે. આ કેસમાં પોલીસે ભાજપના નેતા રમાકાંતસિંહ સોલંકીની અટકાયત કરી છે.


છાપરાના એસપી ગૌરવ મંગલાએ શું કહ્યું ?
છપરાના એસપી ગૌરવ મંગલાએ જણાવ્યું કે સોમવારે વિવાદ થયો હતો. આ ઘટના આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે થઈ હતી. આજે આવો જ એક બનાવ બન્યો છે. ત્રણ લોકોને ગોળી વાગી છે. એકનું મોત થયું છે. એક વ્યક્તિને પટના રીફર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ ખતરાની બહાર છે. આ ઘટના પાછળ કોણ છે તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. શાંતિ જાળવવા માટે જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.