Orissa Highcourt On Physical Relationship: ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું કે લગ્નનું વચન આપીને પુખ્ત વયની મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં.


જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી બેંચના જણાવ્યા અનુસાર લગ્નના ખોટા વચનને બળાત્કાર માનવું ખોટું લાગે છે. કારણ કે IPCની કલમ 375 હેઠળ સંહિતાબદ્ધ દુષ્કર્મની માહિતી તેને આવરી લેતી નથી. રેપ કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મોટો ચુકાદો આપ્યો હતો.


જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું હતું કે પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો નથી. કોર્ટે નીચલી કોર્ટના આરોપીઓને શરતી જામીન આપવાનો પણ આદેશ કર્યો છે. શરત હેઠળ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જામીન હેઠળના આરોપી તપાસ પ્રક્રિયામાં સહકાર આપશે અને પીડિતાને ધમકી આપશે નહીં.


આરોપ છે કે લગ્નના બહાને યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી થોડા દિવસો બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા પછી આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કાર માની શકાય છે.


CRIME NEWS: સુરતમાં 36 કલાકમાં ચોથી હત્યાની ઘટના આવી સામે, પ્રેમ પ્રકરણમાં યુવકને જાહેરમાં રહેસી નખાયો


સુરતમાં 36 કલાકમાં ચોથી હત્યાની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સરાજાહેર યુવકને ચપ્પુના ઘા ઝીંકી રહેસી નાંખવામાં આવ્યો છે. ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ત્રણથી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. ઉધના ઝાંસીની રાણી ગાર્ડન બહાર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો. આજે ફરી સરાજાહેર જીવલેણ હુમલાની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન સાદિક નામના યુવકનું મોત થયું હતું. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હત્યા


Ahmedabad: ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ  દોષીએ આકરા પ્રહાર કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે.