Delhi News: દિલ્હીના ગીતા કૉલોની વિસ્તારમાંથી એક મહિલા (Delhi Geeta Colony)ની લાશ મળી આવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસે ગીતા કૉલોની ફ્લાયઓવર વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ (Delhi Women Murder) બહાર કાઢ્યો છે, જેના કટેલાય અનેક ટુકડાં કરવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી હતી. હાલમાં દિલ્હી પોલીસ (Delhi Police) મહિલાના મૃતદેહની ઓળખ કરી શકાઇ નથી. બીજીબાજુ આ બનાવની આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


 






-


ઉલ્લેખનીય છે કે, 18 માર્ચ 2023એ ગીતા કૉલોની અંડરપાસ વિસ્તારમાંથી એક વિદેશી મહિલાનો મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો હતો. મહિલાની લાશ એટલી સડી ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી.


દિલ્હીના રામકૃષ્ણ પુરમમાં બે મહિલાની ગોળી મારી હત્યા, હુમલાખોરો ફરાર


દિલ્હી ફાયરિંગના રામકૃષ્ણ પુરમ વિસ્તારની આંબેડકર બસ્તીમાં બે મહિલાની ગોળી મારી હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેમાં બંને મહિલાનું મોત થયું છે. મહિલાઓ પર ગોળીબાર કરીને હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાની માહિતી મેળવી તપાસ હાથ ધરી છે. બદમાશો દ્વારા ફાયરિંગ કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી મુજબ દક્ષિણ દિલ્હીના આરકે પુરમમાં બે જૂથો વચ્ચેના વિવાદ બાદ ફાયરિંગ થયું છે. બદમાશોએ બેખૌફ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. ફાયરિંગ બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ફાયરિંગની ઘટનામાં બે મહિલાઓને ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. આ મામલો દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આરકે પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આંબેડકર બસ્તીનો છે. આજે સવારે લગભગ 3.30 વાગ્યાના અરસામાં 2 ડઝનથી વધુ બદમાશો એક યુવકની હત્યા કરવાના ઇરાદે તેના ઘરે પહોંચ્યા હતા. યુવક અને તેના પરિવારજનોએ ઘરનો દરવાજો ન ખોલતાં તેઓ ચાલ્યા ગયા હતા. ત્યારપછી થોડીવાર પછી આવ્યો અને બદમાશોએ ઘરની બહાર ઉભેલા યુવક પર સતત ફાયરિંગ શરૂ કરી દીધું. યુવક પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો, પરંતુ તેની બે બહેનોને બદમાશોએ ગોળી મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ પછી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઘાયલ મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. ઘટના બાદ ઘટનાસ્થળે હાજર અધિકારીઓ સહિત ડઝનથી વધુ પોલીસકર્મીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.


હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા


પીડિત યુવક લલિતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તે કોઈ પાસે પૈસા માગતો હતો જે લેવા માટે તે ગયો હતો. જો કે તે વ્યકિત ઘરે ના મળતા તે પરત આવ્યો હતો. થોડા સમય પછી 2 ડઝનથી વધુ બદમાશો તેને શોધતા તેના ઘરે આવ્યા, જ્યાં તે મળી શક્યો નહીં. બધા બદમાશો પાછા ગયા અને થોડા સમય પછી જ્યારે તે ઘરની બહાર ઊભો હતો ત્યારે તેણે તેના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં તેની બહેન કોઈક રીતે તેને ગુનાના સ્થળેથી દૂર લઈ જવામાં સફળ રહી હતી. ગુસ્સે ભરાયેલા બદમાશોએ જાણી જોઈને તેની બંને બહેનોને ગોળી મારી દીધી હતી. એકને છાતીમાં ગોળી વાગી હતી. જ્યારે બીજી બહેનને પેટમાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.


 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial