Crime News:ગીર સોમનાથ વેરાવળના મેઘપુર ગામમાં ભાઇ બહેન અને માતા પુત્રીના સંબંધને તાર-તાર કરી દેતી કરૂણ ઘટના બની છે. જાણીએ શું છે સમગ્ર ઘટના


ગીર સોમનાથના મેઘપુર ગામમાં ભાઇ-બહેનના સંબંધને તાર-તાર કરી દેતી ઘટના સામે આની છે. અહીં બહેનના પ્રેમસંબંધની આશંકાએ ખુદ ભાઇ એજ બહેનની હત્યા કરી દીધી.તો આ ઘટનામાં તેની સાવકી માતાએ પણ દીકરાની મદદ કરી હતી. પોલીસે  હત્યાના ગણતરીના કલાકમાં જ આરોપી ભાઇ અને માતાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ઘરી છે.


આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, સગીરાને રાત્રે અસી  પર કોઇ યુવક ચોરીછુપી મળવા આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાથી નારાજ ભાઇ અને માતાએ સગીરાની નિર્દયતાથી હત્યા કરી દીધી. જો કે હત્યાના ગણતરીના કલાકમાંજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Surat: બુલેટ વેચવા બાબતે સુરતમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા


સુરતઃ લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જુનૈદ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઇ હતી. બુલેટના વેચાણ બાબતે હત્યા કરવામા આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  


Surat:  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક, સીઆર પાટીલે ટ્વિટ કરી જાણો શું કહ્યું ?


સુરત :  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે. 


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે,  નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.


કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત, પાંચ ઘાયલ


ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.