CRIME NEWS: આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ કરવામાં આવી છે. ઉમરેઠની કાછીયાપોળમાં ગઈકાલે યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. વહેલી સવારથી યુવક યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ અજાણ્યો યુવક મકાન બહાર તાળું મારી જતો રહ્યો હતો. ઘાયલ યુવતીએ બુમબરાડા કરતા આસપાસના રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી હતી.


ત્યાર બાદ સ્થાનિક રહીશોએ 108 ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા નડિયાદ સિવિલમાં ખસેડાઈ છે. હાલમાં ઉમરેઠ પોલીસે આ અજાણ્યા યુવક યુવતી ક્યાંના છે તેની તપાસ આરંભી છે. તો બીજી તરફ આ યુવક અને યુવતી ઉમરેઠમાં થોડા કલાકો પહેલા જ આવ્યા હોવાથી સ્થાનિક લોકો પણ તેના વિશે કઈ જાણતા નથી.


અમદાવાદ સ્કૂલથી ગૂમ થયેલા બાળકે કર્યો ચોંકાવનારો ખુલાસો


Student Missing case:અમદાવાદની ઠક્કરબાપા નગર વિસ્તારની રઘુવીર વિધાવિહાર સ્કૂલમાંથી નાસી ગયેલા વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે પોલીસ વિદ્યાર્થીના નિવેદનને વિશ્વનિય નથી ઠેરવી રહી. 21 જાન્યુઆરીએ  અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં  અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે  અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે.પોલીસે વિદ્યાર્થીની  પૂછપરછ કરતા  વિદ્યાર્થીએ કેટલાક ચોંકાવનાર ખુલાસ પણ કર્યાં હતા.


વિદ્યાર્થીએ શું કર્યો દાવો


 વિદ્યાર્થીએ જણાવ્યું કે, એક ભિક્ષુક તેને શાળામાંથી ઇશારા કરીને બોલાવતો હતો તે શાળાની બહાર જતાં આ ભિક્ષુક તેને ભિક્ષુક તેને કૃષ્ણ નગર Amts બસ સ્ટેન્ડ માં લઇ ગયો હતો. ત્યાંથી તેને રેલવે સ્ટેશન લઈ ગયો હતાં, અહીં ભિક્ષુકે ખાવાનું આપ્યું હતું અને ભિક્ષુકે પરિવાર વિશે પણ પુછપરછ કરી હતી. ભિક્ષુક તેને ઉદેપુર લઇ જવાનો હોવાનો પણ દાવો કર્યો હતો.


પોલીસે દાવા નકાર્યો


મીડિયાએ જ્યારે આ સમગ્ર મામલે પોલીસ સાથે વાત કરી તો પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂલમાં કોઇ પ્રોજેક્ટ કે સ્વાસ્થ્યપોથી તૈયાર કરીને ન આવ્યો હોવાથી શાળામાંથી ઠપકો મળ્યો હતો બાદ તે શાળાથી નાસી ગયો હતો. પોલીસે ભિક્ષુક લઇ ગયો હોવાની વાતને નકારતા કહ્યું કે, શાળાથી માંડીને બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન સુધીના તમામ સીસીટીવી ફૂટેજમાં બાળક એકલો જ દેખાય છે.


મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલીધરપકડ વોરન્ટ ઈસ્યુ


મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી.  આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી. જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી.  પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.