જામનગરઃ કાલાવડૉના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં મહિલાએ અનૈતિક સંબંધ બાંધવાની ના પાડતા બે શખ્સોએ મહિલાની ગળેટૂંપો દઈ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, મહિલાના ગામના જ બે શખ્સો તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે તેને કણજારીયુ ડેમની પાળ નીચે લઈ ગયા હતા. તેમજ અહીં લાવીને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યા હતા. જોકે, મહિલાએ આ સંબંધ માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની ધમકી આપી હતી. 


એટલું જ નહીં, બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી બૂમાબૂમ કરતાં બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ મહિલાના એકે પગ પકડી રાખ્યા હતા તેમજ બીજા આરોપીએ મહિલાની ચૂંદડીથી ગળે ફાંસો આપીને હત્યા કરી નાંખી હતી,. તેમજ આ પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 


ગત 30મી મેના રોજ કણજારીયુ ડેમની પાળ નજીકના વિસ્તારમાંથી મહિલાની લાશ મળી આવતાં પોલીસ દોડી ગઈ હતી. તેમજ તપાસ કરતાં મહિલાનું 15 દિવસ પહેલા મોત થયું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ મહિલાની પોલીસે ઓળખ કરી લીધી હતી. તેમજ પોલીસે જીણવટપૂર્વક તપાસ કરતાં મહિલાની હત્યા થઈ હોવાનું અને અનૈતિક સંબંધની તકરારમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.


Rajkot : મહંત આપઘાત કેસ, મહંતનો મહિલા સાથેનો શરીર સંબંધનો વીડિયો ઉતારી ત્રણ શખ્સો કરતા બ્લેકમેઈલ......


રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે આજે  ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.


રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું. 


સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. 


નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.