વાંસદામાં પ્રેમ પ્રકરણમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બંને પરિવારે એક-એક સ્વજન ગુમાવતાં બંને પરિવારમાં માતમ પ્રસરાઇ ગયું  હતું.. જાણીએ શું છે સમગ્ર મામલો


વાંસદમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણે એક નહી બે-બે જિદગીનો ભોગ લીધો. વાંસદામાં રહેતા રિતેશ નામના યુવકને કિશોરી સાથે પ્રેમ થઇ ગયો હતો. કિશોરીના પિતાએ આ સંબંધ મજૂર ન હતો. જેના પગલે આવેગમાં આવીને યુવક યુવતીના ઘરે ગયો અને  જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. રિતેશની પ્રેમિકાના પિતા આ સમયે મોજૂદ હતા અને તેમણે રિતેશને બચાવ્યો પરંતુ આ સમય દરમિયાન આગની ઝપેટમાં કિશોરીના પિતા પણ આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે રિતેશને બચાવી શકાયો નહિ અને તેનું ધટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે  કિશોરીના પિતાને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બદનસીબે સારવાર દરમિયાન પિતાનું પણ મૃત્યુ થયું હતું.  પ્રેમ સંબંધના એક ઇન્કારે બે પરિવારને વિખેરીય નાખ્યાં.



Accident:રાજકોટમાં રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે લીધા અડફેટે, 1 વિદ્યાર્થીનું મૃત્યુ


રાજકોટમાં કુવાડવાના મધરવાડા રોડ પર રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે અડફેટે લેતા એક મોત થયું છે.


રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો.


રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો. આ ઘટના રાજકોટના કુવાડવાના મધરવાડા રોડ પર બની હતી. જે કારે અકસ્માત સર્જયો તેના નંબર GJ3HR 5584 છે. ઘટનાની નોંધ લેતા કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.


દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા


રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  


જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.


શાયરાના અંદાઝમાં વાતચીત 


દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.