Chhapra Hooch Tragedy: સારણમાં ઝેરી દારૂ પીવાથી મંગળવાર રાતથી શરૂ થયેલ મોતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. જિલ્લાના મશરક, ઇસુઆપુર, મધૌરા અને અમનૌર બ્લોકમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકોની છપરા સદર હોસ્પિટલ, પીએમસીએચ અને એનએમસીએચમાં સારવાર ચાલી રહી છે.


સારણમાં ઝેરી દારૂ પીવાના કારણે મંગળવાર રાતથી શરૂ થયેલ મોતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. જિલ્લાના મશરક, ઇસુઆપુર, મધૌરા અને અમનૌર બ્લોકમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકોની છપરા સદર હોસ્પિટલ, પીએમસીએચ અને એનએમસીએચમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે સારવાર લઈ રહેલા ઘણા લોકોની હાલત નાજુક છે. જોકે, ડીએમએ ગુરુવારે બપોર સુધી 26 લોકોના મોત અને 12ની સારવાર ચાલુ હોવાની પુષ્ટિ કરી હતી. આ દરમિયાન પોલીસે દારૂના ધંધામાં સંડોવાયેલા 126 લોકોની ધરપકડ કરી છે. ગુરુવારે, દર બે-ચાર કલાક પછી મૃતકોની સંખ્યામાં વધારો થવાના અહેવાલો છે. જેના કારણે જિલ્લા અને પોલીસ વહીવટીતંત્ર દિવસભર પરેશાન જોવા મળ્યું હતું.


વહીવટીતંત્રની કાર્યશૈલીને લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમનૌરમાં, જ્યાં મૃતકના સંબંધીઓ અને ગ્રામજનોએ મૃતદેહને રસ્તા પર રાખ્યો અને તેને સળગાવી દીધો, મશરકમાં તેઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. બીજી તરફ, સરકારની સૂચનાના પ્રકાશમાં, આબકારી વિભાગના જોઈન્ટ કમિશનર ક્રિષ્ના પાસવાન અને નાયબ સચિવ નિરંજન કુમારે મશરક પોલીસ સ્ટેશનમાં દારૂના ધંધાર્થીઓ સામે કરાયેલી કાર્યવાહીની તપાસ કરી હતી.


બીપી લો થઈ ગયું, આંખોની રોશની ઘટી ગઈ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈ ગયું


ગુરુવારે પણ સદર હોસ્પિટલમાં દિવસભર અરાજકતા જોવા મળી હતી. મંગળવારની રાતથી દર્દીઓ આવવાનું ચાલુ હતું. ઘણાના શ્વાસ લેવામાં તકલીફ હતી તો  કેટલાક તેમની દૃષ્ટિ ગુમાવી બેઠા હતા અને ઉલ્ટીઓ થતી હતી. જ્યારે કેટલાક હતાશામાં બૂમો પાડી રહ્યા હતા. હોસ્પિટલમાં તૈનાત 14 ડોકટરો અને 20 આરોગ્ય કર્મચારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત 48 કલાક કામ કરી રહ્યા હતા. જે સ્થિતિમાં દર્દીઓ અહીં પહોચી રહ્યા હતા તેમાં મોટાભાગના લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું હતું. મોટાભાગના દર્દીઓની હાલત નાજુક હતી.ઘણા લોકોએ તેમની યાદશક્તિ પણ ગુમાવી દીધી હતી. તબીબોના મતે શરીરમાં ફોલિક એસિડ વધવાને કારણે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઇ જાય ચે.


જે દારૂ પીવે તો મરે પણ, આમાં કંઇ નવું નથી: નીતિશ કુમાર


બિહારના છપરા જિલ્લામાં લઠ્ઠાકાંડમાં  મૃત્યુઆંક 53 પર પહોંચી ગયો છે. અહીં આ મામલે ગુરુવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે આપેલા નિવેદનને લોકો સ્વીકારી રહ્યાં નથી. વિધાનસભાની બહાર પત્રકારોના સવાલોના જવાબ આપતા તેમણે કહ્યું કે જે દારૂ પીશે તે મરે પણ  બિહારમાં નકલી દારૂના કારણે મોત કોઈ નવી વાત નથી.