Crime News: સુરતના વરાછા પાટીચાલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક પર લવ ટ્રાયેન્ગલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો હતો. જેમાં ચિરાગ નામના યુવકનું મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેમને બચાવી શકાયો નહોતો.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચિરાગ એક યુવતી સાથે વરાછા પાટીચાલમાં રહેતો હતો. આ યુવતીના અગાઉ એક યુવક સાથે સંબંધ હતા. એ જ યુવકે ચિરાગ પર હુમલો કર્યો હતો. હુમલો કરી જૂનો પ્રેમી તેની પ્રેમિકાને બળજબરીથી લઈ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટના મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.


સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો


સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.


માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. 


મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial