Shri Lal Bahadur Shastri National Sanskrit University Jobs 2022:  શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયે વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 06 જૂન સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7મી મેથી શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ www.slbsrsv.ac.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ 13 જૂન સુધીમાં તમામ સંબંધિત દસ્તાવેજો સાથે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ પણ સબમિટ કરવાની રહેશે.


કઈ પોસ્ટ પર કરાશે ભરતી


શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય દ્વારા સંચાલિત આ ભરતી અભિયાન અંતર્ગત પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને મદદનીશ પ્રોફેસરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.


કેટલી અરજી ફી ભરવાની રહેશે


આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે બે હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. SC/ST/OBC/EWS શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. એક હજાર રાખવામાં આવી છે.


આ રીતે કરો અરજી



  • સૌપ્રથમ ઉમેદવારો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ www.slbsrsv.ac.in ની મુલાકાત લો.

  • તે પછી ઉમેદવાર હોમ પેજ પર વેકેન્સી ટેબ પર ક્લિક કરો.

  • હવે એપ્લાય લિંક પર ક્લિક કરો.

  • જે બાદ ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

  • જે પછી ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું પડશે.

  • આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવવી પડશે.

  • હવે અરજદારોએ માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

  • તે પછી અરજી સબમિટ કરો

  • છેલ્લે, ઉમેદવારોએ ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ અને તેને નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલવી જોઈએ.


પણ વાંચોઃ


New Toyota and Maruti Creta:  નવી ટોયોટા અને મારુતિ ક્રેટા 20 kmplથી વધુની આપશે માઇલેજ, જાણો કેવા હશે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ


ટાટાની Avinya કારના નામનો શું થાય છે અર્થ ? 30 મિનિટમાં થશે ફૂલ ચાર્જ ને દોડશે 500 કિમી


Coronavirus: રાયગઢની હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત


Education Loan Information:

Calculate Education Loan EMI