Gujarat Education News:  ગુજરાતના શિક્ષણ વિભાગ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક મળશેવિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં જ DEOને અરજી કરવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ પસાર કર્યો છે. વિદ્યાર્થીઓ હવેથી ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકશે. એ માટે વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં જ DEOને અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી હતી.


રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી અને ગુજરાતી સહિતના અલગ-અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી જેના પરિણામે તેઓને તકલીફ પડે છે. આથી, અલગ-અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી.શિક્ષણ સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયોઆથી, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો આદેશ કર્યો હતો.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,47 નવા કેસ નોંધાયા છે અને 54 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને  1,28,261 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,826 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,35,610 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 207,03,71,204 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 15,21,429 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.94 ટકા છે.


આ પણ વાંચોઃ


પ્રિયંકા ગાંધી ફરીથી થયા કોરોના સંક્રમિત, જાણો કેવા છે લક્ષણો


School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ


Education Loan Information:

Calculate Education Loan EMI