Indian Navy Recruitment 2022: દેશ સેવા કરવાનું ઝનૂન રાખો છો, તો તમારા માટે મોટો મોકો છે. ભારતીય નૈસેનાએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, ભારતીય નૈસેનામાં 100 પદો પર ભરતી કરવામાં આવશે, આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઉમેદવાર આ પદો માટે અધિકારિક સાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરી શકે છે. 


આ છે ખાલી જગ્યાઓની ડિટેલ્સ  - 
આ ભરતી અભિયાન દ્વારા ઇન્ડિયન નેવીમાં અગ્નીવીર (એમઆર)ના 100 પદો પર ભરતી કરવામાં આવશે, જે માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવુ જરૂરી છે. અરજીકર્તાના નામાંકનના સમયે ઉમેદવારોનો 01 મે, 2022 થી 31 ઓક્ટોબર, 2005 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. 


આ રીતે થશે પસંદગી - 
અધિસૂચના અનુસાર આ પદો પર ઉમેદવારોની પસંદગી કૉમ્પ્યુટર ઓનલાઇને પરીક્ષા/ લેખિતા પરીક્ષા / પીએફટી/ પ્રારંભિત ચિકિત્સા પરીક્ષા તથા અંતિમ ભરીત ચિકિત્સા પરીક્ષાના આધાર પર ચાર વર્ષો માટે કરવામાં આવશે.  


આટલો મળશે પગાર - 
આ પદો પર પસંદગી પામનરા ઉમેદવારોને રૂપિયા 30,000 થી 40,000 પ્રતિ માહ સુધીનુ વેતન આપવામાં આવશે. યાત્રા ભથ્થાની ચૂકવણી પણ કરવામાં આવશે. 


આટલી હશે અરજી ફી - 
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કરવી પડશે, આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને  550 રૂપિયાની અરજી ફી જમા કરાવવી પડશે. 


કઇ રીતે કરશો અરજી - 
આ ભરતી અભિયાન માટે અરજી કરવા માંગતા યોગ્ય ઉમેદવારોએ 17 ડિસેમ્બર, 2022 સુધી અધિકારિક વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરવી પડશે. 


 


Government Job Alert: કેન્દ્રીય વિદ્યાલયમાં 6990 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ રૂપિયાથી વધુ


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલય (KVS) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સારી તક ઊભી થઈ છે. અહીં ટીચિંગ અને નોન-ટીચિંગની બમ્પર પોસ્ટ પર પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ માટેની અરજી વિન્ડો હજુ ખુલી નથી. અરજીઓ 05 ડિસેમ્બર 2022 થી શરૂ થશે અને આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2022 છે. આ ભરતી અભિયાન દ્વારા 6990 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ એક દિવસ પછી ફોર્મ ભરી શકે છે.


ઓનલાઇન અરજી કરો


કેન્દ્રીય વિદ્યાલયની આ જગ્યાઓ માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે, તેઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જેનું સરનામું છે – kvsangathan.nic.in. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી પ્રક્રિયા દ્વારા, ઉમેદવારોને ઘણી ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ માટે ભરતી કરવામાં આવશે.


ખાલી જગ્યા વિગતો


કુલ પોસ્ટ્સ – 6990


આસિસ્ટન્ટ કમિશનર – 52 જગ્યાઓ


આચાર્ય – 239 જગ્યાઓ


વાઇસ પ્રિન્સિપાલ – 203 જગ્યાઓ


PGT – 1409 પોસ્ટ્સ


TGT – 3176 પોસ્ટ્સ


ગ્રંથપાલ – 355 જગ્યાઓ


પ્રાથમિક શિક્ષક – 303 જગ્યાઓ


ફાયનાન્સ ઓફિસર – 6 જગ્યાઓ


મદદનીશ ઈજનેર – 2 જગ્યાઓ


આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર – 156 જગ્યાઓ


હિન્દી અનુવાદક – 11 પોસ્ટ્સ


વરિષ્ઠ સચિવાલય સહાયક – 322 જગ્યાઓ


જુનિયર સચિવાલય સહાયક – 702 જગ્યાઓ


સ્ટેનોગ્રાફર ગ્રેડ II – 54 જગ્યાઓ


કોણ અરજી કરી શકે છે


આ પોસ્ટ્સ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ અનુસાર અલગ છે. દરેક પોસ્ટ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે, સત્તાવાર વેબસાઇટ પર આપેલી સૂચના તપાસો. સૂચના જોવા માટે આ સીધી લિંક પર ક્લિક કરો.


કેવી રીતે થશે પસંદગી


આ પદો માટેની પસંદગી પરીક્ષાના ઘણા રાઉન્ડ પછી કરવામાં આવશે. સૌપ્રથમ લેખિત કસોટી થશે પછી વર્ગ ડેમો/ઇન્ટરવ્યુ/કૌશલ્ય કસોટી વગેરે લેવામાં આવશે. ત્યારબાદ પસંદગી આખરી ગણાશે. જો આ પોસ્ટ્સ પર પસંદગી થાય તો પગાર સારો રહેશે. પગાર પણ પોસ્ટ પ્રમાણે અલગ છે. તે દર મહિને 40 હજારથી બે લાખ રૂપિયા સુધીની છે. આ નોટિસમાં પણ જોઈ શકાય છે.


અરજીની ફી કેટલી છે


આ પોસ્ટ્સ માટે અરજી કરવાની ફી પણ પોસ્ટ પ્રમાણે બદલાય છે. આ વિશે માહિતી મેળવવા માટે, સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. જો કે, SC, ST, PH અને ભૂતપૂર્વ સૈનિકોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.


Education Loan Information:

Calculate Education Loan EMI