અશોક લવાસા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં છે અને સૂત્રોના મતે લવાસા આચાર સંહિતાના ભંગની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સતત ક્લિન ચીટ આપવા અને વિરોધી પક્ષોના નેતાઓને નોટિસ આપવાના વિરુદ્ધમાં રહ્યા છે.
ચૂંટણી પંચના નિર્ણયને લઇને ઉભા થયેલા વિવાદ વચ્ચે લવાસાના પત્રનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે ચૂંટણી પંચમાં ત્રણ સભ્ય હોય છે અને ત્રણેય એકબીજાના ક્લોન હોઇ શકે નહીં. હું કોઇ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. તમામ ચીજનો સમય હોય છે. ચૂંટણી પંચમાં ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે 21 મેના રોજ ચૂંટણી પંચની મહત્વની બેઠક થશે. આ બેઠકમાં લવાસા સામેલ થાય છે કે તેના પર તમામની નજર છે.
વિવાદના કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ભંગ મામલામાં ચૂંટણી પંચ દ્ધારા ક્લિન ચીટ આપવાને છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયાના કેટલાક હિસ્સામાં આજે આચાર સંહિતાના સંદર્ભમાં ચૂંટણી પંચની અંદર કામકાજને લઇને એક એવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ટાળી શકાતો હતો.