ભોપાલઃ ભાજપના ભોપાલથી લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સોમવારે સવારે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. તે ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી હતી. પ્રચાર માટે રવાના થતા પહેલા સાધ્વી પ્રજ્ઞા ઉમાને તેના નિવાસ સ્થાને મળવા ગયા હતા. આ દરમિયાને ઉમા ભારતીએ તેને તિલક કરીને ખીર ખવડાવી હતી.


ઉમા ભારતીએ કહ્યું કે, હું તેમનું ખૂબ સન્માન કરું છું. મેં તેના પર થતાં અત્યાચાર જોયા છે. તે પૂજનીય છે. હું તેના માટે પ્રચાર કરીશ. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, સાધુ-સંન્યાસી ક્યારેય એકબીજાથી નારાજ નથી હોતા. અમારી બંને વચ્ચે હંમેશાથી આત્મીય સંબંધ રહ્યા છે. બાકી વાતો રાજકીય પ્રપંચ માટે ઉભી કરવામાં આવતી હોય છે.