Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનોને લઈને વિવાદો થવા લાગ્યા છે બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ એક નિવેદનને લઈને રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી છે.

બ્રેકગ્રાઉન્ડ
Lok sabha Election 2024 Live:મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે, ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની...More
રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલે સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા, ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.