Election 2024 Live Update: સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, ભીખાજીના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા
Lok Sabha Election 2024: ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ પણ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.
gujarati.abplive.comLast Updated: 26 Mar 2024 02:02 PM

બ્રેકગ્રાઉન્ડ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આજે મહાબેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ મહાબેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષને તેડુ મોકલાયું છે. તો જિલ્લા અને...More
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આજે મહાબેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ મહાબેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષને તેડુ મોકલાયું છે. તો જિલ્લા અને લોકસભા બેઠકના પ્રભારીઓને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત આજની આ બેઠકમાં તમામ 156 ધારાસભ્યને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે. માર્ચના અંતથી ભાજપ લોકસભા ચૂંટણીનો પ્રચંડ પ્રારંભ કરવાના છે. ત્યારે આજની આ મહાબેઠકમાં પ્રચંડ પ્રારંભની રણનીતિ તૈયાર કરવામાં આવશે. તો ઉમેદવારોના ફોર્મ ક્યારે ભરવા, ક્યારે ઉમેદવારો સાથે કેટલા નેતાઓ કાર્યકરો જોડાશે તે અંગે પણ પ્લાન તૈયાર કરાશે. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકોને હાજર રાખવા તમામ જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ સંગઠનની સ્થિતિની પ્રદેશ નેતાઓ માહિતી પણ મેળવશે.લોકસભા ચૂંટણીની બ્યૂગલ ફૂંકાઇ ગયા છે, રાજ્યમા ભાજપ અને કોંગ્રેસ આમને સામને ટકરાઇ રહી છે, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ પણ સાત ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ટાર્ગેટ કર્યો છે, શાબ્દિક પ્રહારથી ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ હવે ભાજપ પર વારાફરથી પ્રહાર કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસની સાત બેઠકોના ઉમેદવારો બાકી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, અહીં તેમને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ધનસુરામાં શક્તિસિંહ ગોહિલે ભાજપને તેની બે બેઠકના ઉમેદવાર બદલવા મુદ્દે પ્રહાર કર્યા, તેમને કહ્યું કે, ભાજપ અહંકારી રાજનીતિવાળી પાર્ટી છે. ભાજપના કાર્યકર્તાઓમાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. કામના બદલે કારનામાથી આક્રોશ છે. શક્તિસિંહ ગોહિલના શાબ્દિક પ્રહારો બાદ રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે.
કેજરીવાલ રાજીનામું આપે તેવી ભાજપની માંગ
કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ આપ કાર્યકર્તાઓએ પટેલ ચોક મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે પ્રદર્શન કર્યું તો આપે કેજરીવાલની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.