= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેજરીવાલ રાજીનામું આપે તેવી ભાજપની માંગ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ આપ કાર્યકર્તાઓએ પટેલ ચોક મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે પ્રદર્શન કર્યું તો આપે કેજરીવાલની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર મેદાને વિરોધ ડામવા અલ્પેશ ઠાકોરને ઉતારાયા મેદાને.
બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઉતારાયા મેદાને.
ભીખાજીને ધવલસિંહ અને અલ્પેશ ઠાકોરે સમજાવ્યા.
અરવલ્લી,સાબરકાંઠાના ભાજપના ધારાસભ્યોની બેઠક .
વિરોધ ઠંડો પાડવાનો ગાંધીનગરમાં શરૂ થયો પ્રયાસ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભીખાજીના યુ-ટર્ન વચ્ચે પણ સમર્થકોનો વિરોધ ભીખાજી ભલે માને, પણ અમે નહીંઃ ભીખાજીના સમર્થકો
અમે લડી લેવાના મૂડમાં છીએઃ ભીખાજીના સમર્થકો
સાબરકાંઠામાં તો ભીખાજી ઠાકોરઃ ભીખાજીના સમર્થકો
ભીખાજીના સમર્થકોનો ભયંકર આક્રોશ યથાવત.
ભીખાજી થયા શાંત, પણ સમર્થકો ભડક્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠા વિવાદ મુદ્દે સીઆર પાટિલ કરશે બેઠક સાબરકાંઠામાં ચાલી રહેલ વિવાદ મામલે સીઆર પાટિલ કરશે બેઠક. જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ, પ્રભારી સહિતના આગેવાનો સીઆર પાટીલને મળશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરુ સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરુ હોવાનો ભીખાજીએ દાવો કર્યો હતો. ભીખાજી ઠાકોરે દાવો કર્યો હતો કે ઉમેદવાર બદલી જેમને ટિકિટ અપાઈ તેમના વિરુદ્ધ રોષ છે. કાર્યકર્તાનો રોષ વધી રહ્યો છે, સમજાવવાનો પ્રયાસ કરીશ.
તેમણે કહ્યું હતું કે સાબરકાંઠા ભાજપના કાર્યકરોમાં રોષ છે. ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં આક્રોશ છે. શોભનાબેન હજુ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી. ભીખાજી ઠાકોરે દાવો કર્યો હતો કે હું ભાજપમાં જ છું. મારા વિરોધીએ પોસ્ટ મુકી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અરવલ્લી મેઘરજ ભાજપના કાર્યકરોમાં જોરદાર આક્રોશ અરવલ્લી મેઘરજ ભાજપના કાર્યકરોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો. ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. શોભનાબેનને ટિકિટ અપાતા ભીખાજીના સમર્થકો આક્રોશમાં જોવા મળ્યા હતા. સ્થાનિક કાર્યકરના મતે ઉમેદવાર નહીં બદલાય તો પરિણામ ભોગવવું પડશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતમાં PM મોદીના પ્રચંડ પ્રચારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં PM મોદીના પ્રચંડ પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના મતે 15 એપ્રિલ બાદ PM રાજ્યમાં 10 જેટલી જાહેર સભાને સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં PMની જાહેર સભા યોજાશે. તમામ ઝોનમાં PM મોદીની બે-બે જાહેર સભા યોજાઈ શકે છે. કચ્છ,અમદાવાદમાં એક-એક સભા યોજાઈ શકે છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરૂચ લોકસભા બેઠક પર ચોપાંખીયા જંગના સંકેત ભરૂચ લોકસભા બેઠક પર ચોપાંખીયા જંગના સંકેત છે. ભાજપ, ઈન્ડિયા ગઠબંધન,AIMIMની સાથે છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે. છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના નવા સંગઠનની સ્થાપના કરી છે. છોટુ વસાવા પણ ભરૂચથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. છોટુ વસાવાના અન્ય પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠા, અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ સાબરકાંઠા, અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરો એકઠા થયા હતા. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક કરી હતી. 25 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ છે. કાર્યકરોએ કહ્યું કે તમને ઉમેદવાર કૉંગ્રેસમાંથી જ મળ્યો. 30 વર્ષથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ પોસ્ટરો લાગ્યા હતા લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું હતું. ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું. 'પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ ?' 'પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર,એ કોણ ?' 'મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે,એ કોણ ?' ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનર લાગ્યા હતા.
લલિત વસોયાએ કહ્યું હતું કે ભાજપનો આતંરિક અસંતોષ ખુલીને સામે આવ્યો છે. ભાજપના એક કાર્યકર્તાએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી' સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર બદલાયા બાદ પણ નવો વિવાદ શરૂ થયો હતો. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહએ વિરોધ કર્યો હતો. જીતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જાહેર કરેલ ઉમેદવાર ભાજપ કાર્યકર ન હોવા છતા ટિકિટ આપતા વિરોધ થયો હતો.
કૉંગ્રેસમાંથી આવેલ મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા વિરોધ શરૂ થયો હતો. શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ કરાયો હતો. જીતેન્દ્રસિંહે કહ્યું કે કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ આપી છે. શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ કરાઇ હતી. શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શોભનાબેન બારૈયાએ કહ્યું-તમામને સાથે રાખીને ચાલીશું તો પોતાના વિરૂદ્ધ ઉઠેલા ઉભા થયેલા વિરોધ પર એબીપી અસ્મિતા સાથે સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં શોભનાબેન બારૈયાએ કહ્યું કોઈને કાંઈ નારાજગી હશે તો હું સંગઠન સાથે ચર્ચા કરીશ. કોઈ પણને નારાજગી હશે તો અમે દૂર કરીશું. તમામને સાથે રાખીને ચાલીશું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાયા બાદ રાજકારણ ગરમાયું સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાયા બાદ રાજકારણ ગરમાયું છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરના સ્થાને ભાજપે હવે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સોમવારના ભીખાજી કોંગ્રેસમાં જોડાવવાની સોશલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી. જોકે ખોટી પોસ્ટ વાયરલ થયા બાદ ભીખાજી ઠાકોરે સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. કોઈ અન્ય પક્ષમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. ભીખાજીની પોસ્ટ બાદ કોંગ્રેસમાં જોડાવવાની ચાલતી અટકળનો અંત આવ્યો છે.