Election Live Update: મતદાન બાદ રૂપાલાએ માંગી ક્ષત્રિયોની માફી, કહ્યુ- ‘આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ’
Election Live Update: ગઇકાલે લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદાન યોજાયું હતું
gujarati.abplive.com Last Updated: 08 May 2024 01:48 PM
બ્રેકગ્રાઉન્ડ
ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના...More
ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા, આ દરમિયાન તેમને પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતા જ રૂપાલાએ ક્ષત્રિયોની માગી માફી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યુ કે, ક્ષત્રિયો મુદ્દે કરેલુ નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમને એ પણ સ્વીકાર્યુ કે, આ સમય તેમના જાહેર જીવનનો સૌથી કઠીન સમય બન્યો. તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે
રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મ પર માફી માંગી નથી. રૂપાલાએ અત્યાર સુધી રાજકીય માફી માંગી છે. માફી આપવી કે નહીં એ સંકલન સમિતિ નક્કી કરશે. રૂપાલા હવે ઘણું બોલશે. રૂપાલાને માફી આપવાનો સવાલ નથી. રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન જ નથી. માતૃશક્તિ પર ટિપ્પણી માફીને લાયક નથી. ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા થયો છે