Loksabha Election Results: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું
abpasmita.in | 23 May 2019 05:51 PM (IST)
ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું, ચૂંટણીમાં બીજેપી અને ગઠબંધનની જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. અમે દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરવા તત્પર છીએ.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. ભાજપ અને મોદીની ભવ્ય જીતને લઇ વિદેશના નેતાઓ પણ અભિનંદન પાઠવી રહ્યા છે, આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વિટથી મોદીને અભિનંદન આપીને સૌને ચોંકાવી દીધા હતા. ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું, ચૂંટણીમાં બીજેપી અને ગઠબંધનની જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. અમે દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરવા તત્પર છીએ. Loksabha Election Results: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કર્યું શાનદાર ટ્વિટ, જાણો શું લખ્યું Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગત