Elections 2022 Live: UP બાદ ગોવા કોંગ્રેસમાંથી પડી વધુ એક વિકેટ, જાણો વિગત
Assembly Elections: ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 25 Jan 2022 06:19 PM
બ્રેકગ્રાઉન્ડ
Elections 2022: યુપીમાં ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સંબિત પાત્રાએ ગઈ કાલે લખનઉમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર...More
Elections 2022: યુપીમાં ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સંબિત પાત્રાએ ગઈ કાલે લખનઉમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ ક્રમમાં હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આગળ આવીને સમાજવાદી પાર્ટી પર ટોણો માર્યો છે.
પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે. હાલમાં જ તેઓ પટિયાલા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મહાકાળી માતાના મંદિરમાં માથું નમાવ્યું હતું.
ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આરપીએન સિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
આરપીએન સિંહ સ્વામી પ્રસાદ મૌર્ય સામે વિધાનસભા ચૂંટણી લડી શકે છે
યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપમાં જોડાશે, ત્યારબાદ સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડી શકે છે. સ્વામી પ્રસાદ મૌર્ય હાલમાં પદ્રૌનાથી ધારાસભ્ય છે. તાજેતરમાં જ મૌર્યએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ 26 જાન્યુઆરી બાદ ભાજપના તમામ મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે. અમિત શાહે ગયા અઠવાડિયે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કૈરાનાથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે કૈરાના બાદ હવે અમિત શાહ મથુરા જશે. 27 જાન્યુઆરીએ અમિત શાહ મથુરા અને ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં હશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ 27 જાન્યુઆરીએ બાગપત અને ગાઝિયાબાદમાં હશે.
પોતાના એક ટ્વીટમાં સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા યોગીએ કહ્યું, "જે લોકો પાકિસ્તાનને દુશ્મન નથી માનતા, જિન્ના મિત્ર છે. તેમના શિક્ષણ અને વિઝન વિશે શું કહી શકાય. તેઓ પોતાને સમાજવાદી કહે છે, પરંતુ આ સત્ય છે. તે 'તમંચાવાદ' તેમની નસોમાં દોડે છે.