= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં યોજાશે બેઠક લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષની બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં બેઠક યોજાશે. સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળશે. ઈલેકશન મેનેજમેન્ટ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ઉમેદવારને માર્ગદર્શન આપશે, બેઠકમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે. 29 માર્ચ સુધીમાં કોંગ્રેસના બાકીના તમામ ઉમેદવારો જાહેર કરી દેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉર યથાવત Lok sabha 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉરે પણ જોર પકડ્યું છે. આજે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ એકસ પર પોસ્ટ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ઉમેદવારી અને કોગ્રેસમાં પડતા રાજીનામાના દૌરને લઇને કટાક્ષ કરતા એકસ પર પોસ્ટ લખી છે.તેમણે પરેશ ધાનાણીને પણ વળતો જવાબ આપ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: રાહુલ ગાંધી 3 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ Lok sabha 2024:રાહુલ ગાંધી 3 એપ્રિલે વાયનાડથી ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનિય છે કે, 2019માં વાયનડ બેઠકથી રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન Lok sabha 2024:ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,. ઓવૈસી અને આપ એક જ પાર્ટી છે. તેમણે કહ્યું કે, ભાજપના વોટ તોડવા માટે વિરોધીઓ એક થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવા આમ આદમી પાર્ટીની ચૂંટણી પંચને રજૂઆત વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે હારી જવાના ડરથી વિસાવદરની ચૂંટણી જાહેર ન કરાવી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે. ચૂંટણી યોજાય તે માટે હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગાંધીનગર મહાનગરપાલિકા આજે બનશે કૉંગ્રેસ મુક્ત, આ બે બે કોર્પોરેટર ધારણ કરશે કેસરિયો લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં વેલકમ પાર્ટી યથાવત છે. ગાંધીનગર મહાનગરપાલિકા આજે કૉંગ્રેસ મુક્ત બનશે, .કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેંદ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: ગુજરાત ભાજપ 50 હજાર બુથ પર યોજશે મોદી પરિવાર સભા ગુજરાતમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે., રાજ્યના 50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજવાનું ગુજરાત ભાજપનું આયોજન છે. 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજી સરકારની સિધ્ધિઓ જનતા સુધી પહોંચાડાશે. મોદી પરિવાર સભાના માધ્યમથી જનસમૂહ સુધી પહોંચવાનો ભાજપનો હેતુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha 2024: સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે, ક્ષત્રિય સમાજના વિરોધમાં તેમના આગેવાનો યોજી શકે છે બેઠક Lok sabha 2024: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે છે. વઢવાણ મંગલ ભવન ખાતે પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રોષ વચ્ચે આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી વિશે પણ ચર્ચા વિચારણા કરાશે ઉપરાંત સુરેન્દ્રનગરમાં તળપદા કોળી અને ક્ષત્રિય સમાજના વિરોધમાં તેમના આગેવાનો સાથે પણ બેઠક યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.