Gujarat  Elections 2022:વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ તાબડતોબ રેલીઓ યોજી રહ્યું છે. આ જ શ્રેણીમાં આજથી PM  મોદી પણ પ્રચારમાં ઉતરશે. તેઓ તેઓ 25 જનસભાને સંબોધશે.

પ્રધાનમંત્રી ગુજરાત ચૂંટણીને લઈને રાજ્યભરમાં કુલ 25 રેલીઓ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો વલસાડ જિલ્લામાં યોજાશે રોડ શો અને ત્યારબાદ થશે જાહેર સભાને સંબોધશે. 7.10 એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ કોસ્ટ ગાર્ડના એર સ્ટેશન પર ઉતરશે અને ત્યારબાદ દમણ કોસ્ટગાર્ડ થી દમણ ના દાભેલ ગેટ સુધી રોડ શો થશે...ત્યારબાદ ગુજરાત તેમનું સ્વાગત સાથે  600 મીટર જેટલો રોડ શો થશે ....વાપી ના પોષ વિસ્તાર ચલા રોડ પર રોડ શો ની તૈયારી પૂર્ણ કરવમાં આવી છે....રોડ શો બાદ તેઓ હાઇવે થી જૂજવા ગામે પોહોંચશે અને ત્યાં જાહેર સભા સંબોધશે.રાત્રી રોકાણ વલસાડ ખાતે કરશે જ્યાં તેઓ જુના કાર્યકર્તાઓને અને જો તેઓ હયાત ન હોઈ તો તેમના પરિવારો ને મળશે...કાર્યકર્તાઓ ની મિટિંગ લેશે અને વહેલી સવારે સોમનાથ ખાતે જવા રવાના થશે...

PM મોદીનો 19થી  24 નવેમ્બર સુધીનો કાર્યક્રમ

19 નવેમ્બર

વાપીમાં રોડ શો, બાદ વલસાડમાં  સાંજે 7:30 વાગ્યે  જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

20 નવેમ્બર, 202220 નવેમ્બરે  સોમનાથ જવાન રવાના થશે અને અહી સોમનાથ મહાદેવનું પૂજન કરશે, રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધિક કરશે તો બપોરે  12:45 વાગ્યે ધોરાજીમાં જનસભેન સંબોધિત કરશે. , બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને સાંજે  6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે  ગાંધીનગર પરત ફરશે  અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે

21 નવેમ્બર, 202221 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે

23 નવેમ્બર, 202223 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.

24 નવેમ્બર, 202224 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત,  દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.

PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આજે ​​યોજાનાર રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પીએમ મોદીના રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.

ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતી નથી. પીએમ મોદી ઉપરાંત પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. જેમાં જેપી નડ્ડાથી લઈને અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં રેલીઓ માટે પહોંચી શકે છે.