અનુષ્કા યાદવે કહ્યું કે, ''એરસ્ટ્રાઇક જેવું કંઇજ થયુ નથી, ત્યાં કોઇ જ મર્યુ નથી, આ બધુ નાટક હતુ'' ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક પર કેટલાય વિપક્ષી નેતાઓ સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે.
લાલુ યાદવની પુત્રી અનુષ્કા યાદવે કહ્યું કે, ''મેં ક્યારેય પણ મારા માતા પિતાન માટે મત માંગ્યા નથી, અહીં હું બધા પાસે મત માંગી રહી છું.'' આ દરમિયાન તેને પાકિસ્તાનના બાલાકોટ પર થયેલા ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કેપ્ટન અજય યાદવ કોંગ્રેસની ટિકીટ પર ગુંડગાવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. નોંધનીય છે કે, હરિયાણામાં બધી બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાવવાનું છે.