નવી દિલ્હી: એભિનેતામાંથી રાજનેતા બનેલા એભિનેતા સની દેઓલને ભાજપે પંજાબના ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પંજાબ અને ચંદીગઢના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.  જેમાં કિરણ ખેરને ચંડીગઢની ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય સોમ પ્રકાશને હોશિયારપુરથી ટિકિટ આપવામાં આવી છે.


સોની દેઓલ આજે જ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ સહિત કેટલાક દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા. બે દિવસ પહેલા જ ભાજપા અધ્યક્ષ અમિત શાહે બોલિવૂડ અભિનેતા સની દેઓલ સાથે મુલાકાત કરી હતી. જેના બાદ સની દેઓલ લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, 62.36 ટકા મતદાન

લોકસભા ચૂંટણી: ત્રીજા તબક્કામાં સરેરાશ 63.24 ટકા મતદાન, ક્યા રાજ્યમાં થયું કેટલુ મતદાન, જાણો

ગૌતમ ગંભીરે ભર્યુ ઉમેદવારી પત્ર, ગઇકાલે જ મળી હતી BJPની ટિકિટ

ઉલ્લેખનીય છે કે સોની દેઓલના પિતા ધર્મેન્દ્ર 2004માં ભાજપની ટિકિટ પરથી બિકાનેરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ધર્મેન્દ્ર જ નહીં હેમા માલિની પણ ભાજપ સાથે જોડાયેલા છે અને તે હાલમાં મથૂરાથી ભાજપના ઉમેદવાર પણ છે.

એક્ટર સની દેઓલ જોડાયો ભાજપમાં, ક્યાંથી લડી શકે છે ચૂંટણી? જુઓ વીડિયો