LokSabha Election 2024 LIVE: આવતીકાલે રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન, પ્રચાર પડઘમ શાંત, આજની રાત રાજકીય પક્ષો માટે મહત્વની

Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 May 2024 02:27 PM
અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટનો ચૂકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો

ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો. ખાસ વાત છે કે, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા. 

ગરીબોનું ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે ગાંધીનગરમાં હોબાળો

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાંથી વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ગઇ મોડીરાત્રે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શહેરમાં સેક્ટર 7માં આ મામલે પોલીસે સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, ખરેખરમાં, ગાંધીનગરમાં રહેતા ગરીબ પરિવારોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધર્મ પરિવર્તન માટે લોભ અને લાલચ આપવામાં આવી રહી હતી, આ પરિવારોના સભ્યોનું માઇન્ડ વૉશ કરવામાં આવી રહ્યું હતુ, આ સમગ્ર ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો, બાદમાં શહેરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. 

આજથી ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા રાજકીય પક્ષો

દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આ તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે. આજની રાત તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે, આજથી લગભગ તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા છે. ત્રીજા તબક્કાના મતદાનમાં દેશભરની 93 બેઠકો પર મતદાન યોજાશે. ગઇકાલે સાંજથી ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની 26 બેઠકોની સહિત દેશભરમાં કુલ 93 બેઠકો પર મતદાન યોજાશે. આજથી તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા છે. ઠેર ઠેર ખાટલા પરીષદો અને બેઠકો થઇ રહી છે, શહેર ફ્લેટ અને સોસાયટી તો ગામડામાં મહોલ્લા-વિસ્તારોમાં ખાટલા બેઠકો કરવામાં આવશે. 

આજે રાત્રે પીએમ ગુજરાત આવશે, આવતીકાલે રાણીપમાથી કરશે મતદાન

ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાશે. માહિતી પ્રમાણે, આજે રાત્રે 9.30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે, પીએમ મોદી ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાં આવશે. પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રિપોર્ટ છે કે, આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ મોદીની સાથે ઉપસ્થિતિ રહી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 8.30 વાગે અમદાવાદ આવી પહોંચશે અને બાદમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લશે, અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદમાં સવારે 10.30 વાગે મતદાન કરશે. 

એક મહિના બાદ ક્ષત્રિયોએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ- પીટી જાડેજા

રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ક્ષત્રિય સમાજ કોંગ્રેસની સાથે જોડાયો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ જણાવ્યું છે કે, એક મહિના બાદ હવે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે. ભાજપે રૂપાલાની ટિકીટ પાછી ના ખેંચી તેથી અમે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક શ્રદ્ધાંજલિ સભામાં ક્ષત્રિય બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જે પછી ક્ષત્રિય સમાજે તેને વખોડી કાઢ્યુ હતુ, અને વિરોધ શરૂ કરાયો હતો. છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ વખોડી કાઢ્યા હતા, અને હવે પીટી જાડેજાએ જણાવ્યું છે કે, ક્ષત્રિય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. 

રાજકીય પક્ષો માટે આજે રણનીતિની રાત

આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

આવતીકાલે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન


ત્રીજા તબક્કાના મતદાન માટે ગઇકાલે પ્રચંડ પ્રચારનો છેલ્લો દિવસ હતો, 7 મેએ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાશે, ગુજરાતની 25 બેઠકો માટે  મતદાન થશે.દાદરાનગર હવેલી, દીવ-દમણની એક એક બેઠક માટે મતદાન થશે,. કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, MPની 9 માટે  મતદાન યોજાશે. યુપીની 10, છત્તીસગઢની 7, બિહારની 5 બેઠકો માટે મતદાન યોજાશે






 


જાણો ગુજરાત સહિત કઈ રાજ્યની કઈ બેઠક પર થશે મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.


અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.



  • આસામ (4 લોકસભા બેઠકો): ધુબરી, કોકરાઝાર, બરપેટા, ગૌહાટી

  • બિહાર (5 લોકસભા બેઠકો): ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા

  • છત્તીસગઢ (7 લોકસભા બેઠકો): સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર.

  • દાદરા અને નગર હવેલી (1 લોકસભા બેઠક): દાદરા અને નગર હવેલી

  • દમણ અને દીવ (1 લોકસભા બેઠક): દમણ અને દીવ

  • ગોવા (2 લોકસભા બેઠકો): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને શું કરી અપીલ

કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેમાં હરિભક્તોને કમળનું બટન દબાવી ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી છે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ,કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદે પત્ર દ્વારા હરિભક્તોને બીજેપીને મત આપવા અપીલ કરી છે.  


23 દેશોના મુલાકાતીઓ ચૂંટણી નીહાળવા આવ્યા

મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે કહ્યું, તે ખૂબ જ આનંદ અને સંતોષની વાત છે કે અમારા આમંત્રણ પર, 23 દેશોના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ, જેની સંખ્યા 75 થી વધુ છે, અમારી ચૂંટણીઓ જોવા, મુલાકાતી તરીકે જોવા માટે અહીં આવ્યા છે.  


સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન

સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, કહ્યું” ભાજપના નેતાઓની હત્યાનું પાકિસ્તાનમાં ષડયંત્ર, ભાજપના નેતાઓની હત્યા કરવા પાક. સોપારી આપતુ . મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી ખુલાસો થયો,રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા”


પાલીતાણાના સરવૈયા ફાર્મમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક

પાલીતાણાના સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી  હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ  બેઠક  યોજાઇ હતી.  મહેન્દ્રસિંહે હ્યું કે, “2019ની જેમ જ આ ચૂંટણીમાં તમામ સમાજનો સહકાર મળશે, સમાજની લાગણી દુભાય તેનાથી મને પણ દુઃખ, હવે તલવાર ઉપાડવાની જરૂર નથી,બટન બદાવી ભાજપને જીતાડવાની જરૂર છે. આગેવાનો સાથે સમાધાન માટે બેઠક મળી હતી, જો કે કૉંગ્રેસે સમાધાન ન થવા દીધુ, સરકારને સહયોગ કરવા બધા સમાજને વિનંતી, સાત ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે, રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલ ક્ષત્રિયોના મતો ભાજપ સાથે  હોય”


અંતિમ ઘડીના પ્રચારમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ

અંતિમ ઘડીના પ્રચારમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ  તેજ થઇ છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના ભરત સુતરીયા પર શાબ્દિક પ્રહાર થઇ રહ્યાં છે. તો ભરત સુતરીયાને વિરજી ઠુમ્મરે ગણાવ્યા પોપટ, ભરત સુતરીયા BOBના ડિફોલ્ટર હોવાનો આરોપ લગાવ્યો, રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદાર સંમેલન યોજાયું હતું.કડવા, લેઉવા પાટીદાર સમાજનું સંમેલન  યોજાયું હતું. પરશોત્તમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીનો નારો લગાવ્યો છે.એક જગ્યાએ કહ્યું જય ભવાની, તો લોકોએ કહ્યું કૉંગ્રેસ જવાની, પાટીદાર સમાજ 100 ટકા મતદાન કરાવશે તેવો ભરત બોઘરાએ  દાવો કર્યો છે. તેમણે કહ્યું  કે, રૂપાલાજીને પાંચ લાખની લીડથી જીતાડવાના છે,


રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો

રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો  થયો  છે. પોલીસ તપાસમાં મોટો   મોટો ખુલાસો થયો છે. વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણીનું નામ ખુલ્યુ છે. પોલીસે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની  પૂછપરછ કરી છે. આ મામલે અગાઉ ચાર શખ્સોની પોલીસ  પૂછપરછ કરી ચૂકી છે


બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.