Election Result 2022 Live: વડાપ્રધાન મોદીએ કહ્યુ- હવે રાજકીય નિષ્ણાતો કહેશે કે 2022ના પરિણામોએ 2024ના પરિણામો નક્કી કરી દીધા

દિલ્હીમાં બીજેપી કાર્યાલય ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

gujarati.abplive.com Last Updated: 10 Mar 2022 08:48 PM
આ પરિણામોને હવે 2024 થી જોડવામાં આવશે: PM મોદી

પીએમ મોદીએ  કહ્યું હતું કે કેટલાક રાજકીય નિષ્ણાતોએ કહ્યું હતું કે 2019ની જીત 2017માં જ નક્કી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે હું એ પણ જાણું છું કે આ જ્ઞાનીઓ ફરી એકવાર કહેશે કે 2022ના પરિણામોએ 2024ના પરિણામો નક્કી કરી દીધા છે. આ પરિણામો હવે 2024 સાથે જોડવામાં આવશે. 





યુદ્ધના કારણે આખી દુનિયામાં વધી મોંઘવારી

પીએમ મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. ભારત આ મામલે શાંતિ ઈચ્છે છે. પરંતુ આ યુદ્ધ ભારતની આર્થિક સ્થિતિને પણ અસર કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલથી લઈને કોલસો અને ગેસ વગેરેમાં તેજી જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે.

ઉત્તર પ્રદેશની જીત પર વડાપ્રધાન મોદીએ શું કહ્યુ?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે  યુપીએ દેશને ઘણા વડાપ્રધાન આપ્યા છે, પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી ફરી ચૂંટાયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. તેમણે કહ્યું કે, યુપીમાં 37 વર્ષ બાદ સતત બીજી વખત સરકાર આવી છે.

ગોવામાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયાઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ભાજપે ખાતરી કરી કે ગરીબોને તેમનો હક મળે. ભાજપ ગરીબોને ખાતરી આપે છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી યોજનાઓ દરેક ગરીબ સુધી ચોક્કસ પહોંચશે. તેમણે કહ્યું કે, ભાજપને ચારેય દિશામાંથી આશીર્વાદ મળ્યા છે. ઉત્તરાખંડમાં પણ ભાજપે નવો ઈતિહાસ રચ્યો છે. ભાજપનો વોટ શેર વધ્યો છે. ગોવામાં તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.

10 માર્ચના રોજ હોળીની ઉજવણી કરવાનું વચન પુરુ થયુ

વડાપ્રધાને કહ્યું કે ભાજપના કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે હોળી 10 માર્ચથી શરૂ થઇ જશે. અને તમામ કાર્યકરોએ આ વચન પાળ્યું છે. આ તહેવાર લોકશાહી માટે છે.





આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજનો દિવસ ઉત્સાહ અને ઉજવણીનો છે. આ તહેવાર ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદારોને અભિનંદન આપું છું. હું મતદારોનો તેમના નિર્ણય માટે આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને જે રીતે અમારી માતાઓ, બહેનો અને યુવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે તે એક મોટો સંદેશ છે.  પ્રથમ વખત મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત સુનિશ્ચિત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે. લાંબા સમયથી એક રાજનીતિ ચાલી રહી હતી. તે રાજનીતિ ભાઈચારો, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા, જાતિવાદ, પરિવારવાદ, પ્રાદેશિકવાદ હતી. તેમની રાજનીતિ લાંબા સમયથી ચાલી રહી હતી."

ચૂંટણીની જીત પર જેપી નડ્ડાએ શું કહ્યુ

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં કહ્યું હતું કે જો આપણે યુપીની વાત કરીએ, તો આ પહેલીવાર છે જ્યારે યુપીની જનતાએ સતત ચાર વખત મોદીજીને આશીર્વાદ આપ્યા છે. જનતાએ જબરદસ્ત આશીર્વાદ આપ્યા હતા. 2014માં જોરદાર જીત મળી હતી. 2017 માં જનતા દ્વારા જબરદસ્ત આશીર્વાદ આપવામાં આવ્યા હતા. 2019માં પણ આશીર્વાદ મળ્યા અને આ વખતે ફરી 2022માં ચોથી વખત ભાજપને આશીર્વાદ મળી રહ્યા છે. 37 વર્ષ પછી યુપીમાં એવું બન્યું છે કે શાસક પક્ષની જીત થઈ છે.





બ્રેકગ્રાઉન્ડ

UP Election Result:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. તેમની સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 






ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઇ છે. ભાજપના દિલ્હી કાર્યાલયમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.