હિંમતનગરમાં પીએમ મોદી માટે રેલી યોજવા માટે ખાસ ડૂમ બનાવવામાં આવ્યા હતા. ગઇકાલે આવેલા વાવાઝોડાના કારણે ડૂમમાં ભારે નુકશાન થયુ હતુ, મંડપ સહિત ખુરશીઓ ઉડી હતી. મોદીએ રેલીને સંબોધતા લોકો પાસે ફીર એકવાર મોદી સરકારના નારા લગાવડાવ્યા હતા. કહ્યું કે, મને હરાવવા આખો પરિવાર મેદાનમાં આવી ગયો છે, પણ તમે જોજો 23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખશે દેશની જનતા.
મોદીએ સાંબરકાંઠાના લોકોને ઉદ્દેશીને કહ્યું કે, પહેલા દેશના વડાપ્રધાનને સાબરકાંઠામાં આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ વડાપ્રધાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી ને પણ અહીં લઇ આવ્યો છે.
વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હિંમતનગર જંગી જનસભાને સંબોધવા પહોંચ્યા હતા.