લખનઉ: લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં આજે એક જનસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધી જ્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે મસ્જિદમાં અઝાન ચાલુ થઈ હતી. અઝાનનો અવાજ સાંભળી રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અટકાવી દિધુ હતું.


અઝાન પુરી થયા બાદ ફરી રાહુલ ગાંધી જનસભાને સંબોધન કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાફેલ મામલામાં કાર્યવાહી થશે, તપાસ થશે, બચશે નહી. સમગ્ર દેશને ખબર પડશે કે ચોકીદાર ચોર છે.

નીતિન ગડકરીની તબિયત બગડી, રેલીને સંબોધન દરમિયાન આવ્યા ચક્કર