રાજકોટ: રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું. સભા બાદ કલેક્ટર કચેરીએ મોહન કુંડારીયાએ સીએમ વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.




સભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની દલાલી કરનાર કોંગ્રેસ બીજી તરફ ત્રાસવાદીનો ખાત્મો કરનારા મોદી છે. આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે, જો આડાઅવળું થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.


મોહન કુંડારિયાએ સવારે નીચી માંડલમાં ચાંમુડા માતાજીના દર્શન કર્યા હતા. રાજકોટ સભામાં 5 વર્ષનો સાર્થક વેકરીયા ચોકીદાર બનીને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.