બુલંદશહેરઃ લોકસભા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલુ થઇ ગયો છે, આ પ્રચારમાં કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. રાજનાથે એક રેલીમાં વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા ભાગેડુ બિઝનેસમેનોનો ઉલ્લેખ કર્યો, તેમને જણાવ્યુ કે આ લોકો દેશ છોડીને કેમ ભાગી ગ્યા.




યુપીના બુલંદશહેરમાં એક રેલીને સંબોધિત કરતાં રાજનાથે કહ્યું કે, જ્યાં સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું, નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી ભારત છોડીને ના ભાગ્યા. પણ જ્યારે તેઓ સત્તામાંથી બહાર થયા અને નવો 'ચોકીદાર' આવ્યો, એક ચૌકન્નો ચૌકીદાર તો ભારત છોડીને બીજા દેશોમાં ભાગી ગયા.


નોંધનીય છે કે, વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી પર ભારતમાં અનેક પ્રકારનો ગોટાળાનો આરોપ લાગેલો છે. દેશની કાયદા પ્રક્રિયાથી બચવા માટે ભાગીને વિદેશોનું શરણ લઇ લીધુ છે.