= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે જૂનાગઢ થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી જૂનાગઢ પહોંચશે. જૂનાગઢમાં પીએમ મોદી ચૂંટણી સભા ગજવશે. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા સ્થળે પહોંચ્યા. પીએએમ મોદી બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. આજે સુરેન્દ્રનગર, આણંદમાં સભાને સંબોધી.પીએમ મોદીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા વાર કરતા મોદી સરકારનાના વિકાસના કાર્યો ગણાવ્યા હતા. જૂનાગઢ તેઓ જામનગરમાં જનસભાને સંબોધશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ કૉંગ્રેસ સામે ફેક્યા ત્રણ પડકાર કોંગ્રેસ લેખિતમાં આપે કે દેશના બંધારણમાં તે કોઈ છેડછાડ ન કરેઃPM
સંવિધાન બદલી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપેઃPM
ST, OBCનો કૉંગ્રેસ અનામતનો અધિકાર નહીં છીનવેઃPM
કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં તે વોટબેંકની રાજનીતિ નહીં કરેઃPM
મારા ત્રણ પડકારોને કૉંગ્રેસ દેશને લેખિતમાં ગેરેન્ટી આપેઃPM
9 દિવસ પહેલા મે કોંગ્રેસને ત્રણ પડકાર આપ્યા હતાઃPM
કોંગ્રેસની નિયતમાં ખોટ છેઃPM
સંવિધાન માટે મારું સમર્પણ કેવું છે એ તમને યાદ હશેઃPM
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પીએમ મોદીના પ્રહાર મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પીએમ મોદીના પ્રહાર
કોંગ્રેસ હવે હિંદુઓની આસ્થામાં પણ ભેદભાવ ઉભો કરે છેઃPM
કોંગ્રેસ ધર્મના આધારે રાજનીતિ કરે છેઃPM
''કોંગ્રેસ અધ્યક્ષે રામ અને શિવને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું''
કોંગ્રેસના મેનીફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છેઃPM
કોંગ્રેસના મેનીફેસ્ટોમાં કોંગ્રેસનો નહીં પણ મુસ્લિમ લીગનો પંજોઃPM
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું નહીઃPM કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું નહીઃPM
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર પીએમનો પલટવાર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે બદઈરાદે નિવેદન આપ્યુંઃPM
કોંગ્રેસ રામ ભક્તો અને શિવ ભક્તોમાં ભેદ ઉભો કરે છેઃPM
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતે કોરોનાનો મજબૂતીથી સામનો કર્યો: PM ભારતે કોરોનાનો મજબૂતીથી સામનો કર્યો:PM
કોંગ્રેસે વોટ બેંકના કારણે રામ મંદિર બનવા ન દીધુંઃPM
500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બન્યુંઃPM
અમારી સરકારે જે કીધું તે કરી બતાવ્યુંઃPM
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજ દુનિયા 5 નંબરની અર્થ વ્યવસ્થા બની ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોના કારણ મોદીના કારણ નહીં તમારા વોટને કારણે ડંકો વાગી રહ્આયો છે. ભારત હવે ઘરમાં ઘુસીને મારે છે. આજ દુનિયા 5 નંબરની અર્થ વ્યવસ્થા બની ગઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરેન્દ્રનગર પહોંચ્યા પીએમ મોદી, ઓવારણા માટે માતા-બહેનોનો માન્યો આભાર આણંદ પછી પીએમ મોદી સુરેન્દ્રનગર પહોંચ્યા અહીં તેમણે માતા બહેનોએ કરેલા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો હતો. લોકસભા ચૂંટણીની સભાને સંબોધતા તેમણે કહ્યું કે, હું ગુજરાતનું ઋણ ક્યારેય નહિ ભુલુ, તેમાં પણ સૌરાષ્ટ્રનો હું ઋણી છું જેને મને જેને મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો. આ અવસરે પીએમ મોદીએ વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી અને મતદાનના પાછળના એવોર્ડ તૂટવા જોઇએ તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની યાદોને વાગોડતા કહ્યું કે,ગુજરાતે મારૂ ખરૂ ઘડતર કર્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદાર સાહેબ જલ્દી જતા રહ્યા તેનું મને ખુબ જ દુઃખ છે. કૉંગ્રેસના શહેઝાદા બંધારણ માથા પર રાખી નાચી રહ્યા છે. કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને સરદાર સાહેબનું સપનું પુર્ણ કર્યુ છે. PM મોદીના પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનનું આજે ટાયર પંચર થઈ ગયુ છે. આતંકી એક્સપોર્ટ કરનાર આજે લોટ માટે તરસી રહ્યો છે. જેના હાથમાં બોમ્બ હતા, તેના હાથમાં આજે કટોરો છે. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ. અહીં કૉંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. કૉંગ્રેસ માટે હવે પાક.નેતા દુઆ કરી રહ્યા છે. પાકિસ્તાન અને કૉંગ્રેસની પાર્ટનરશીપ ખુલ્લી પડી ગઈ છે. દુશ્મનોને આજે ભારતમાં મજબૂત નહીં, કમજોર સરકાર જોઈએ છે. કૉંગ્રેસના શહેઝાદાને PM બનાવવા પાક. પ્રાર્થના કરી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
‘એક ચાવાળાએ દેશની ઈકોનોમી પાંચમાં નબરે પહોંચાડી છે’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીના સપના પૂરા કરવા મને આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ છે. ગુજરાતની ધરતી પર આશીર્વાદ માંગવા આવ્યો છું. દેશે 60 વર્ષ સુધી કૉંગ્રેસનું રાજ જોયું છે. દેશે 10 વર્ષ ભાજપનો સેવાકાળ પણ જોયો છે. કૉંગ્રેસનું શાસનકાળ હતો, આ સેવાકાળ છે. 10 વર્ષમાં ભાજપે 100 ટકા શૌચાલયો બનાવ્યા છે. ભાજપે 10 વર્ષમાં 14 કરોડ ઘરોમાં નળથી જળ પહોંચ્યું છે. કૉંગ્રેસની સરકારમાં ગરીબોના બેન્કખાતા નહોતા ખુલ્યા. 10 વર્ષમાં 50 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે. 2014માં દેશની ઈકોનોમી 11 નંબરે હતી. એક ચાવાળાએ દેશની ઈકોનોમી પાંચમાં નબરે પહોંચાડી છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કૉંગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ’ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યુક્રેનમાં પાકિસ્તાનના લોકો પણ ભારતનો તિરંગો દેખાડતા હતા. કૉંગ્રેસ ફક્ત મોદીને રોજ નવા અપશબ્દો બોલે છે. કૉંગ્રેસ સમાજમાં લડાઈ કરાવવા માંગે છે. કૉંગ્રેસ આજે ફેક ફેક્ટરી બની ગઈ છે. કૉંગ્રેસ જુઠ્ઠનો સામાન વહેંચવા લાગી છે. કૉંગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ છે. અમે 25 કરોડને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છીએ. કૉંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબના નામે ખેલ કરતી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આણંદ pm મોદીએ શું બોલ્યા, કહ્યું, એક ચા વાળાએ દેશની ઇકોનોમી પાંચચા સ્થાને લાવી દીધી વડાપ્રધાન મોદીએ આજે આણંદમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી લડ્યો પણ અને લડાવી પણ છે. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ છે. આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા રેકોર્ડ તોડશે. સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે મને કામ લાગે છે. પીએમ મોદીએ કહ્યું કે, એક ચા વાળાએ દેશની ઇકોનોમીને 5માં નંબરે લાવી દીધી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: PMની સભાને લઈ જૂનાગઢ ભાજપમાં જબરદસ્ત ઉત્સાહ લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે PM મોદી ગુજરાતમાં ઝંઝાવાતી સભાઓ યોજી રહ્યાં છે. જૂનાગઢમાં પણ તેની સભા યોજાઇ રહી છે. ત્યારે પીએમ મોદીની સભાને લઇને કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા ગિરીશ કોટેચાનો દાવો કર્યો છે કે, જૂનાગઢમાં ભાજપની જીત નિશ્ચિત છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: સૌરાષ્ટ્રમાં PM મોદીનો ઝંઝાવાતી 3 સભાઓ પીએમ મોદીની આજે સૌરાષ્ટ્રમાં 3 સભાને સંબોધિત કરશે. જૂનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગરમાં PMની જનસભા યોજાશે. તેઓ સુરેન્દ્રનગરમાં બપોરે 12 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં PM જનસભાને સંબોધિત કરશે. બાદ જામનગરમાં સાંજે સવા ચાર વાગ્યે PMની જનસભા યોજાશે. બાદ સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપના ચંદુભાઈ શિહોરા માટે પ્રચાર કરશે. અહીં ભાજપના ચંદુભાઈ શિહોરાની સામે કૉંગ્રેસના ઋત્વિક મકવાણાનો મુકાબલો છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી આણંદ જવા રવાના પીએમ મોદી બુધવારથી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે આજે તેઓ 4 સભાને સંબોધિત કરશે. તેઓ રાજભવનથી PM નરેન્દ્ર મોદી આણંદ જવા રવાના થયા છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં PM જનસભાને સંબોધિત કરશે. આજે ચાર જનસભાને PM મોદી સંબોધશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: સતવારા સમાજની માગને લઈને MLA કાંતિ અમૃતિયાનો જવાબ સતવારા સમાજની માગને લઈને MLA કાંતિ અમૃતિયાએ જવાબ આપ્યો છે. વાડી વિસ્તારમાં અનેક કાર્યો થઈ રહ્યા છે,કરોડોના ખર્ચે કામ શરૂ થઈ ચુક્યું છે, લગભગ છ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, 18 કિ.મીના દરેક ઘરે પાણી, ભુગર્ભ ગટરની લાઈનો આપી છે. ટપાલ નથી આવતી એ સાચુ છે, વિનોદ ચાવડાએ પેટા પોસ્ટ ઓફિસ બનાવવાની ખાતી આપી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: નિલેશ કુંભાણી આજે કરી શકે છે મોટા ઘટસ્ફોટ નિલેશ કુંભાણી આજે મોટા ઘટસ્ફોટ કરી શકે છે, નિલેશ કુંભાણી સુરત આવી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણી પોતાના નિવાસસ્થાને છે. abp અસ્મિતાની ટીમ નિલેશ કુંભાણીના નિવાસસ્થાને પહોચી હતી. નિલેશ કુંભાણીના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: ચૂંટણી પ્રચારમાં ભાજપ સાંસદ,MLAને જનતાએ પરખાવ્યુ રોકડું
મોરબીમાં સાંસદ વિનોદ ચાવડા અને MLA કાંતિ અમૃતિયાને જનતાએ કેટલાક સવાલ કર્યાં છે. સતવારા સમાજના લોકોએ મંચ પરથી સવાલોનો મારો કર્યો હતો. પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટરની સુવિધા ન મળતી હોવાની રજૂઆત કરી હતી. કાંતિ અમૃતિયાએ અટકાવ્યા છતા યુવાનો સવાલોનો મારો કરતા રહગ્યાં હતા. આ સમયે સાંસદ વિનોદ ચાવડા સ્ટેજ પર બની મુક પ્રેક્ષક રહ્યાં. સવાલોનો મારો ચાલતા કાંતિ અમૃતિયા, વિનોદ ચાવડાએ ચાલતી પકડી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: રાજકોટ લોકસભા બેઠકમાં લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે રૂપાલાએ કરી બેઠક એક બાજુ ક્ષત્રિય સમાજ નારાજ છે તો બીજી તરફ રૂપાલા તેમનું સમર્થકને જોડવાની કવાયત હાથ ધરી છે. આ માટે રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર પરષોતમ રૂપાલાએ આજે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના ઘરે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિઠ્ઠલ ધડુક, વલ્લભ સતાણી, દુષ્યંત ટીલાળા,આકાશ વેકરીયા, શંભુ પરસાણા, કિશોર પાંભર,પરેશ ગજેરા સહિતના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election Live: જૂનાગઢમાં બપોરે 2.15 વાગ્યે PMની જનસભા પીએમ મોદી બુધવારથી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે આજે જૂનાગઢમાં બપોરે 2.15 વાગ્યે જનસભાને સંબોધશે. કૃષિ યુનિ.માં PM મોદી સંબોધન આપશે, જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાની સામે કૉંગ્રેસના હિરા જોટવાનો જંગ છે. આ પ્રવાસ દરમિયાન પીએ મોદી જૂનાગઢ, પોરબંદર, અમરેલી લોકસભા બેઠકને આવરી લેવાશે