Sonia Gandhi On Exit Poll: દેશમાં અત્યાર એક્ઝિટ પૉલનો જબરદસ્ત માહોલ છવાયો છે. આમાં એનડીએને ફરીથી સત્તા વાપસી કરતી જોવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પૉલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેણે સોમવારે (3 જૂન, 2024) કહ્યું કે આપણે રાહ જોવી પડશે.


કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પૉલની સાવ વિરુદ્ધ હશે.'' વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દાવો કરી રહ્યું છે કે પબ્લિક એક્ઝિટ પૉલમાં તેને 295 સીટો મળી છે. અલાયન્સ 'ઈન્ડિયા'ની તાજેતરની બેઠક બાદ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.


મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીએ શું કહ્યું ? 
મલ્લિકાર્જૂન ખડગેએ તેમના નિવાસસ્થાને લગભગ અઢી કલાક સુધી ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજી હતી અને કહ્યું હતું કે ગઠબંધનને ઓછામાં ઓછી 295 અથવા તેનાથી વધુ બેઠકો મળશે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પૉલને પીએમ નરેન્દ્ર મોદીનો ફેન્ટસી પૉલ ગણાવ્યો હતો. ગાયક સિદ્ધુ મૂસેવાલાના ગીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળવા જઈ રહી છે.


વાસ્તવમાં, મોટાભાગના એક્ઝિટ પૉલમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' માટે આંચકાની આગાહી કરવામાં આવી છે. પૉલ કહે છે કે બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સત્તામાં પરત ફરી શકે છે.