Election Commission Press Conference: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)ની મત ગણતરી પહેલા ચૂંટણી પંચ (Election Commission) આજે એટલે કે સોમવારે (3 જૂન 2024) એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન દિલ્હીમાં બપોરે 12.30 વાગ્યાથી કરવામાં આવશે. આ અંગે મીડિયાને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.


ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મીડિયાને આપવામાં આવેલા આ આમંત્રણમાં લખ્યું છે કે, "2024ની સામાન્ય ચૂંટણીઓ પર ભારતીય ચૂંટણી પંચ (Election Commission)ની પ્રેસ કોન્ફરન્સ." દેશના ચૂંટણી ઈતિહાસમાં સંભવતઃ આ પ્રથમ વખત બનશે કે ચૂંટણી પંચે ચૂંટણીના સમાપન સમયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હોય.


જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી પોસ્ટ પર વિગતો માંગી


અગાઉ રવિવારે, ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા તેમના જાહેર નિવેદન માટે તથ્યપૂર્ણ માહિતી અને વિગતો માંગી હતી જેમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મતોની નિર્ધારિત ગણતરી (4  જૂન) પહેલા 150 જિલ્લા મેજિસ્ટ્રેટને કોલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આગળની જરૂરી કાર્યવાહી માટે જયરામ રમેશ (Jayram Ramesh) પાસેથી 2 જૂન, 2024ની સાંજ સુધીમાં જવાબ માંગ્યો છે. લોકસભા ચૂંટણી માટે સાત તબક્કાની મતદાન પ્રક્રિયા શનિવારે (1 જૂન 2024) ના રોજ સમાપ્ત થઈ.


મતદાનના છેલ્લા તબક્કાના અંત પછીના મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી છે કે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએ આ ચૂંટણીમાં તેના 2019 ના રેકોર્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં એનડીએ ગઠબંધનને 352 બેઠકો મળી હતી. બે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતાં વધુ બેઠકો જીતી શકે છે. જો 4 જૂનના રોજના પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનેલા પ્રથમ વડાપ્રધાન બનશે.


લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાયું હતું. સામાન્ય ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.  અગાઉ એક્ઝિટ પોલ જાહેર થઈ રહ્યા છે.


એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં, એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે.