હરદોઇઃ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા બનેલા બીજેપી નેતા નરેશ અગ્રવાલે ઉત્તરપ્રદેશમાં બનેલા સપા અને બસપાના ગઠબંધન પર સીધુ નિશાન સાધ્યુ છે. તેમને માયાવતી અને અખિલેશ યાદવ પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે.


[gallery ids="388702"]

હરદોઇના શ્રવણ દેવી મંદિર આયોજિત કાર્યકર્તા સંમેલનમાં બીજેપી નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે, હોળીકા દહનની શરૂઆત હરદોઇથી થઇ હતી, તે સમયે પણ ફોઇ સળગી હતી, આ વખતે ફોઇ અને ભત્રીજાનો વારો છે.

તેમને પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર હુમલો કરતાં કહ્યું કે, અખિલેશ કાળનો દીકરો છે.



ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, ગઠબંધન ટિટહરી ચિડીયા જેવું છે, જે પગ ઉપર કરીને વિચારે છે કે આકાશ પડ્યુ તો તે રોકી લેશે. આવો જ હાલ કોઇ નેતા પસંદ કર્યા વિનાના 22 પક્ષોના ગઠબંધનનો છે, જે પીએમને રોકવાના સપના જોઇ રહ્યાં છે. ગઠબંધન તો પતિ-પત્ની વચ્ચે થાય છે, ભાઇ બહેન અને ફોઇની વચ્ચે કેવું ગઠબંધન.