મણિપુર વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 22 સીટો પર મતદાન, ભાજપે વોટ લેવા આતંકવાદી જુથોને પૈસા આપ્યનો જયરામ રમેશનો આરોપ
મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
મણિપુર વિધાનસભા ચૂંટણી 2022ઃ મતદારોએ વોટીંગ કરવા માટે સવારથી ઉત્સાહ દર્શાવ્યો છે ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં 76.04 ટકા મતદાન થયું છે.
બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનમાં 47.16 ટકા મતદાન નોંધાયું.
જયરામ રમેશે જણાવ્યું હતું કે, મણિપુર સરકારે યુદ્ધવિરામ કરાર હેઠળ પ્રતિબંધીત થયેલા આતંકવાદી જુથ માટે આપેલા ભંડોળ અંગે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં અમે સુપ્રિમ કોર્ટમાં જઈશું. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, આ આદર્શ આચાર સંહિતાની વિરુદ્ધ છે અને મણિપુરમાં 11 બેઠકો પર 'ખુની ચૂંટણીઓ' થઈ છે.
મણિપુર વિધાનસભા ચૂંટણીઃ વહેલી સવારમાં મતદારો મતદાન કરવા માટે લાઈન લાગી ગયા હતા. જીરીબામના આ મતદાન મથમાં મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરતા દેખાય છે.
4,28,968 મહિલાઓ સહિત કુલ 8,47,400 મતદારો 1,247 મતદાન મથકો પર 92 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આજનું મતદાન કોંગ્રેસના ત્રણ વખતના (2002-2017) મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહ તેમજ ભાજપના કેટલાક પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યોના ભાવિનો નિર્ણય કરશે. 74 વર્ષીય ઓકરામ ઇબોબી સિંહ થૌબલ જિલ્લાની થૌબલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Manipur Assembly Election 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ થૌબલ, જીરીબામ, ચંદેલ, ઉખરુલ, સેનાપતિ અને તામેંગલોંગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. થૌબલ ખીણ પ્રદેશમાં આવે છે, જ્યારે અન્ય પાંચ જિલ્લાઓ આસામ અને નાગાલેન્ડની સરહદે મ્યાનમારના પર્વતીય પ્રદેશોમાં છે જેથી સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર સતર્કતાથી તૈનાત કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -