મણિપુર વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 22 સીટો પર મતદાન, ભાજપે વોટ લેવા આતંકવાદી જુથોને પૈસા આપ્યનો જયરામ રમેશનો આરોપ
મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
gujarati.abplive.comLast Updated: 05 Mar 2022 03:05 PM
બ્રેકગ્રાઉન્ડ
Manipur Assembly Election 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ...More
Manipur Assembly Election 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ થૌબલ, જીરીબામ, ચંદેલ, ઉખરુલ, સેનાપતિ અને તામેંગલોંગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. થૌબલ ખીણ પ્રદેશમાં આવે છે, જ્યારે અન્ય પાંચ જિલ્લાઓ આસામ અને નાગાલેન્ડની સરહદે મ્યાનમારના પર્વતીય પ્રદેશોમાં છે જેથી સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર સતર્કતાથી તૈનાત કરવામાં આવ્યા છે.
જયરામ રમેશે જણાવ્યું હતું કે, મણિપુર સરકારે યુદ્ધવિરામ કરાર હેઠળ પ્રતિબંધીત થયેલા આતંકવાદી જુથ માટે આપેલા ભંડોળ અંગે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં અમે સુપ્રિમ કોર્ટમાં જઈશું. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, આ આદર્શ આચાર સંહિતાની વિરુદ્ધ છે અને મણિપુરમાં 11 બેઠકો પર 'ખુની ચૂંટણીઓ' થઈ છે.
મણિપુર ચૂંટણી લાઈવઃ બીજા તબક્કાના મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.19 ટકા મતદાન થયું. મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.