ટીકિટ ન મળતાં ભાજપના કયા નેતા અપક્ષ તરીકે ચૂંટણી લડશે? નામ સાંભળીને ચોંકી જશો
abpasmita.in | 29 Mar 2019 11:27 AM (IST)
ગોધરા: પંચમહાલ લોકસભામાં પત્તું કપાતાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બંડ પોકાર્યું છે. મુળ કોંગ્રેસના સવા વર્ષ પહેલાં લુણાવાડાથી અપક્ષ ધારાસભ્યપદે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે એમ વિટામિન (પૈસાથી) ભાજપની ટીકિટ લીધી છે. પંચમહાલના ધારાસભ્ય જેઠા ભરવાડે પંચમહાલ ડેરી અને બેંકમાં પોતાની સત્તા બચાવવા આ સોદો કર્યાના આક્ષેપો પ્રભાતસિંહે કરતા ભાજપમાં ભૂંકપ સર્જાયો છે. પ્રભાતસિંહની ટીકિટ કપાતાં તેમણે કાલોલ, ઘોઘંબા સહિત મતક્ષેત્રમાં સર્મથકોની વચ્ચે પ્રવાસ શરૂ કર્યો છે. ગુરૂવારે ટેકેદારોની સભાને સંબોધતા તેમણે કોઈએ ભાજપને મત આપવો નહીં. 1લી એપ્રિલે હું અપક્ષ ઉમેદવારી નોંધાવાનો છું. પ્રભાતસિંહની ટીકિટ કપાતાં તેમણે કાલોલ, ઘોઘંબા સહિત મતક્ષેત્રમાં સર્મથકોની વચ્ચે પ્રવાસ શરૂ કર્યો છે. ગુરૂવારે ટેકેદારોની સભાને સંબોધતા તેમણે કોઈએ ભાજપને મત આપવો નહીં. 1લી એપ્રિલે હું અપક્ષ ઉમેદવારી નોંધાવાનો છું.