Lok sabha Election 2024:કિશોરી લાલ શર્મા અમેઠીથી ચૂંટણી જીત્યા અને સારા માર્જિનથી ચૂંટણી જીત્યા. ભાજપની ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની ચૂંટણી હારી ગઈ છે. અમેઠીમાં તેમની ચૂંટણી હાર આશ્ચર્યજનક છે. 2019ની ચૂંટણીમાં તેમણે રાહુલ ગાંધીને હરાવીને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. ઘણા એવા  કારણો છે. જેના કારણે આ ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીનો પરાજય થયો છે.  

Continues below advertisement

2019માં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ક્રાઉન પ્રિન્સ રાહુલ ગાંધીને હરાવીને ઈતિહાસ રચ્યો હતો, જ્યારે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ પરિવારના નજીકના કિશોરી લાલ શર્માએ સ્મૃતિ ઈરાનીને હરાવીને સ્કોર સેટ કર્યો છે.  અમેઠીના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે કે જ્યારે બિન-ગાંધી પરિવારના સભ્ય અમેઠીમાંથી ચૂંટણી જીત્યા છે. આ પહેલા વિદ્યાધર બાજપાઈ અને કેપ્ટન સતીશ શર્મા બાદ કિશોરીલાલ શર્માએ ચૂંટણીમાં પોતાની જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવારે પોતાની જીતનો શ્રેય અમેઠીની જનતા અને ગાંધી પરિવારને આપ્યો છે.

ભાજપની હાર માટે ત્રણ મોટા કારણો જણાવવામાં આવી રહ્યા છે. હારનું સૌથી મોટું કારણ અફવાઓનો યોગ્ય રીતે સામનો ન કરી શકવાનું હતું. ચૂંટણીમાં કોંગ્રેસના પ્રશ્નો, મુદ્દાઓ અને નિવેદનોના જવાબ આપવામાં પાર્ટી પાછળ રહી ગઈ. આ પછી અમેઠીમાં ઇન્ડિયા  ગઠબંધનનું જ્ઞાતિ સમીકરણ પ્રબળ રહ્યું. અહીં આ વખતે ચૂંટણીમાં ભાજપના જૂના કાર્યકરો સક્રિય નહોતા, તો બીજી તરફ પક્ષમાં જોડાયેલા નવા કાર્યકરો મતદારોને સાથે લઈને આવ્યા ન હતા. નવા કાર્યકરો જોડાવાને કારણે રોષ પણ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

Continues below advertisement

સ્મૃતિ ઈરાની દરેક રાઉન્ડમાં હારી

અમેઠીના જવાહર નવોદય વિદ્યાલયમાં સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી પહેલા શરૂ થઈ અને ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ લીડ લીધી અને લીડ જાળવી રાખી. દરેક રાઉન્ડમાં કિશોરી લાલ શર્મા લગભગ 7 હજાર મતોથી આગળ હતા, જે અટક્યા નહોતા અને આગળ જતા રહ્યા હતા. છેલ્લા રાઉન્ડ સુધી, કિશોરી લાલ શર્મા લગભગ 1 લાખ 48 હજાર મતોથી આગળ હતા.

કોંગ્રેસના ઉમેદવારોએ 50 હજારનું માર્જીન વટાવતાં કાર્યકરોમાં ખુશીની લહેર દોડવા લાગી હતી. કિશોરી લાલ શર્મા પણ મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક સુધી ત્યાં રહ્યા હતા. મતગણતરી સ્થળથી નીકળીને કિશોરી લાલ શર્મા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા, ત્યારપછી જશ્નનો પ્રારંભ થયો. કોંગ્રેસના કાર્યકરો હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કીના નારા લગાવવા લાગ્યા. ગૌરીગંજ કોંગ્રેસ કાર્યાલય પર હજારોની ભીડ હાજર હતી અને કોંગ્રેસ કાર્યાલયથી રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારના પરિવારજનોએ પણ ઘણો પરસેવો પાડ્યો હતો

કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માની બે પુત્રીઓ અને પત્નીએ પણ સમગ્ર ચૂંટણી દરમિયાન ખૂબ પરસેવો પાડ્યો હતો. જે દિવસે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારથી જ તેમની બંને પુત્રીઓ અને તેમની પત્ની અલગ-અલગ વિસ્તારોમાં જઇને  તેમના પિતા અને પતિ માટે વોટ માંગયા હતા.