બોલિવૂડ એક્ટર આમિરખાન અને કિરણ રાવે શનિવાર એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને ડિવોર્સ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે આ સ્ટેટેમેન્ટ બાદ તેના ફેન્સ દુ:ખી અને શોક્ડ છે. તેમના ફેન્સ આ મામલે અફસોસ પણ વ્યક્ત કરી રહ્યાં છે. જો કે બંનેના ડિવોર્સના કારણે હાલ આમિર ખાનની કો સ્ટાર રહેલી ફાતિમા સના શેખ ટવિટર પર ટ્રેન્ડ થઇ રહી છે. 


ટવિટર પર યુઝર્સનું કહેવું છે કે, કિરણ રાવ અને આમિર ખાનના તલાકનું કારણ એક્ટ્રેસ ફાતિમા સના શેખ છે. આમિર અને ફાતિમાની વધતી જતી નિકટતાને જોઇને આખરે કિરણ રાવે ડિવોર્સ આપવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ મુજબ આ બધી જ બાબતોથી કિરણ ખૂબ જ અપસેટ હતી. 


આમિર-ફાતિમાના લિંકઅપની વાતો 
એક્ટ્રેસ ફાતિમા સના શેખે ફિલ્મ દંગલથી ડેબ્યૂ કર્યું હતું. તેમાં તે આમિર ખાનની દીકરીનો રોલ પ્લે કરી રહી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.  ફિલ્મ દંગલની સક્સેસ બાદ ફાતિમાએ આમીર સાથે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કર્યું હતું ત્યારબાદ બંનેની અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. 



આમિર સાથે લિંકઅપની ખબરોથી અપસેટ
એક્ટ્રેસ ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "તે આ પ્રકારની ખબરોથી વધુ પ્રભાવિત થઇ હતી. કેટલાક લોકો તેના વિશે લખી રહ્યાં  હતા.  જો કે આ અહેવાલ પાયાવિહોણા છે અને તે સત્ય નથી". ફાતમાએ કહ્યું હતું કે, તે આ બધાના કારણે ડિસ્ટર્બ હતી કારણ કે તેમણે કહ્યું હતું, કે, "હું નથી ઇચ્છતી કે, લોકો કંઇ જ જાણ્યા જોયા વિના ખોટું વિચારે"


હવે કિરણ અને આમિરના ડિવોર્સની વાત સામે આવતા લોકો ફાતિમાને ટ્રોલ કરી રહ્યાં છે. આટલું જ નહીં ડિવોર્સનું કારણ પણ ફાતિમા શેખને ગણાવવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, હવે આમિર ફાતિમા સાથે લગ્ન કરશે અને તેમની સાથે લાાંબો સમય રહેશે. કેટલાક યુઝર્સ તો ફાતિમાને ઘર તોડનાર પણ કહી રહ્યાં છે.