આ ઇન્ટરવ્યુ આમિર અને કિરણે તેમના ડિવોર્સના એલાન બાદ દીધું  હતું. ઇન્ટરવ્યુના વાયરલ વીડિયોમાં કિરણ રાવ અને આમિર ખાન સાથે બેઠેલા જોવા મળે છે. આમિર ખાન કહ્યું કે, ' 'આપને દુ:ખ થયું હશે. શોક લાગ્યો હશે, જો કે અમે આપને જણાવવા માંગીએ છીએ કે, અમે બંને ખૂબ જ ખુશ છીએ અને એક જ પરિવાર છીએ'


આમિર ખાન અને કિરણ રાવે શનિવારે અલગ થવાની જાહેરાત કરી. કિરણ રાવે તેમના નિવેદનનમાં જણાવ્યું કે, 15 વર્ષના લગ્ન બાદ અમે અમારા રસ્તા અલગ કરવા જઇ રહ્યાં છીએ. અમે બંને હવે પતિ-પત્ની નહીં રહીએ.જો કે દીકરા આઝાદની પરવરિશ સાથે મળીને કરીશું. કિરણ અને આમિરનો ડિવોર્સના એલાન બાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


ડિવોર્સના એલાન બાદ શું કહ્યું આમિરખાને
આમિર અને કિરણે ડિવોર્સ લેવાની વાતને સ્પષ્ટ કરી દીધી છે. આ વીડિયો શનિવારે તેમને ડિવોર્સના એલાન કર્યાં બાદનો છે. વીડિયોમાં બંને સાથે બેઠેલા જોવા મળે છે. આમિરે કહ્યું કે, ' ડિવોર્સની વાત સાંભળીને આપને દુ:ખ થયું હશે. શોક પણ લાગ્યો હશે. જો કે અમે આપને જણાવી દઇએ કે, અમે બંને ખૂબ જ ખુશ છીએ અને હજું પણ અમે એક જ પરિવાર છીએ. બસ અમારા સંબંધોમાં થોડુ પરિવર્તન આવ્યું છે પરંતુ અમે એકબીજાને સાથે જ છીએ.પાની ફાઉન્ડેશન અમારી માટે આઝાદની જેમ છે.જેમ  અમારૂ બાળક આઝાદ છે તેવી જ રીતે પાની ફાઉન્ડેશન છે. અમે હંમેશા એક ફેમિલી રહીશું, આપ લોકો બસ દુઆ કરો કે અમે હંમેશા ખુશ રહી શકીએ. બસ આટલું જ કહેવું હતું. 


નિવેદન આપી અલગ હોવાની કરી જાહેરાત 
આમિર ખાન અને કિરણ રાવે શનિવારે એક સ્ટેટમેન્ટ આપીને ડિવોર્સની જાહેરાત કરી હતી. તેમણે સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, આ 15 વર્ષમાં અમે એક સાથે જીવનભરના અનુભવ, આનંદ અને ખુશીને શેર કરી છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, પ્રેમ, સન્માન સાથે વધતો રહ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યાં છીએ.પતિ-પત્ની તરીકે નહીં પરંતુ સહ માતાપિતાના રૂપે 


તેમણે આગળ લખ્યું કે, અમે બંને અલગ-અલગ રહેવા છતાં અમારા જીવનને પણ એક વિ્સ્તારિત પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા પુત્ર આઝાદ માટે એક સમર્પિત માતા પિતા બની રહીશું. તેની પરવરિશન મળીને કરીશું. ઉપરાંત અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજના પર પણ મળીને સહયોગીના રૂપમાં કામ કરીશું. જેના માટે અમે દિલથી પરવાહ કરીએ છીએ. 


ટ્રોલ થયા આમિર- કિરણ
આમિર અને કિરણે ફેન્સના સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો. બંનેના ડિવોર્સની એલાન બાદ ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે હલચલ મચી ગઇ છે. કોઇપણ માટે આ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે કે, કેટવાક યુઝર્સે આ જોડીને ટ્રોલ કરી છે તો ફેન્સ સપોર્ટ માટે પણ આગળ આવ્યાં છે. 


2005માં થયા હતા લગ્ન
આમિર ખાન અને કિરણ રાવની મુલાાકાત ફિલ્મ લગાનના સેટ પર થઇ હતી. કિરણ લગાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહીહતી. બંને વચ્ચે દોસ્તી અને ત્યાર બાદ નિકટતા વધતાં 28 ડિસેમ્બર 2005માં તેમણે લગ્ન કરી લીઘા હતા. 2011માં સરોગેસીની મદદથી પુત્ર આઝાદનું સ્વાગત કર્યું હતું. જો કે હવે લગ્નના 15વર્ષ બાદ બંને અલગ થઇ રહ્યાં છે અને ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે.