મુંબઈ: જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્યનો દિકરો ધ્રુવ ભટ્ટાચાર્ય પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ધ્રુવની ઉંમર 28 વર્ષ છે અને તે એક રેસ્ટોરન્ટ ચલાવે છે.


આ સમાચારની પુષ્ટી માટે જ્યારે એબીપી ન્યૂઝે ગાયક અભિજીત ભટ્ટાચાર્યને ફોન કર્યો તો તેમણે કોલકાતાથી હંસતા કહ્યું, "આ વાત સાચી છે, પરંતુ તેમાં પરેશાન થવાની કોઈ વાત નથી. મારા દિકરા ધ્રુવમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો નથી અને ઘર પર જ છે."

અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, મારો દિકરો ધ્રુવ રેસ્ટોરન્ટ ચલાવે છે અને કેટલાક દિવસો પહેલા એક અંતરરાષ્ટ્રીય ટૂર પર જવા માટેની યોજના બનાવી રહ્યો હતો. ટૂર પર જતા પહેલા તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે.



ઉલ્લેખનીય છે કે ધ્રુવને ત્રણ દિવસ પહેલા જ કોરોના હોવાની જાણકારી મળી હતી.
અભિજીતે કહ્યું કે કોરોના વાયરસ હવે સામાન્ય પ્રકારની બીમારી થઈ ગઈ છે અને એ કોઈપણને થઈ શકે છે. તેમણે કહ્યું, ધ્રુવ પોતાની સારી રીતે સંભાળ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં એકદમ સ્વસ્થ થઈ જશે.