Anil Kapoor Chooses Kangana Ranaut: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આમતો પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, પરંતુ હવે કંગના બીજી રીતે ચર્ચામાં આવી છે, કેમ કે કંગના બૉલીવુડના એક મોટા સુપરસ્ટારની દિવાનગીનુ કારણ બની છે. એટલુ જ નહીં કંગનાના પ્રેમમાં આ સુપરસ્ટાર એટલો બધા પાગલ છે કે તે પોતાની પત્નીને તલાક આપવા માટે પણ તૈયાર છે. આ વાત ખુદ સુપરસ્ટારે કબુલી છે. આ સુપરસ્ટારનુ નામ છે અનિલકપૂર, જી હાં, અનિલકપૂર આજકાલ કંગનાના પ્રેમમાં તમામ હદો પાર કરવા તૈયાર થઇ ગયો છે. 


પત્ની સનીતા કપૂર (Sunita Kapoor)ને છુટાછેડા આપીને કંગના રનૌત સાથે લગ્ન (Kangana Ranaut Wedding) કરવાની વાત ખુદ અનિલ કપૂરે (Anil Kapoor) તાજેતરમાં જ એક ટૉક શૉમાં કહી છે. 


અનિલ કપૂરે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન- અનિલ કપૂર પર કોઇ પણ એક્ટ્રેસ ફિદા થઇ જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જેના પર અનિલ કપૂર પોતે ફિદા છે. તેનો જુસ્સો એવો છે કે તે તેના માટે તેની પત્નીને છૂટાછેડા પણ આપી શકે છે. તે અભિનેત્રી છે કંગના રનૌત. જ્યારે કરણે અનિલને એવી મહિલાનું નામ પૂછ્યું કે જેના માટે તે તેની પત્નીને છોડી શકે. આના પર અનિલે મજાકમાં કંગના તરફ ઈશારો કરીને તેનું નામ લીધું.


એક ઈન્ટરવ્યુ દરમિયાન અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે તેની યુવાનીનું રહસ્ય શું છે? અભિનેતાએ કહ્યું કે મને લાગે છે કે આપણે ભગવાને આપેલા જીવનનો આનંદ માણવો જોઈએ. 


----