સુશાંત સિંહનો પરિવાર મુંબઈ પહોંચતા જ સુશાંતના અંતિમ યાત્રા પર લઈ જવામાં આવ્યો હતો.
તમને જણાવીએ દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત નિપજ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
સુશાંત સિંહ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો.
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર સામે આવ્યા બાદ આખું બોલિવૂડ સ્તબ્ધ છે.
સુશાંત સિંહની ડેડ બોડી સૌથી પહેલા તેના નોકરે જોઈ હતી ત્યાર બાદ તાત્કાલિક પોલીસને તેની જાણકારી આપી હતી.
પોલીસ હાલ આ ઘટના અંગે તપાસ કરી રહી છે પરંતુ સુશાંતે આવું પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.