નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1647 નવા કેસ સામે આવ્યા છે અને 73 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 42829 પર પહોંચી છે.


દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં 604 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. કોરોના વાયરસ સામે લડી અત્યાર સુધીમાં કુલ 16427 લોકો સ્વસ્થ થયા છે.



દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 73 લોકોના મોત થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરના વાયરસથી મૃત્યુઆંક 1400 પર પહોંચ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસ સામે લડવા માટે આજે કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.