મુંબઈ: ટીવીની જાણીતી એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન થયું છે. લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બિમારીનો સામનો કરી રહી હતી. થોડા સમય પહેલા જ તેની માતાએ તેને કિડની દાન કરી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. તેના નિધન પર ટીવીની અનેક મોટી હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું હતું.


સીરિયલ સેઠ જીમાં લીના આચાર્યના કો-સ્ટાર રહેલા વરશિપ ખન્નાએ કહ્યું કે, “લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનીની સમસ્યાથી પરેશાન હતી. થોડા સમય પહેલા તેની માતાએ તેને કિડની દાન કરી હતી. પરંતુ તે સરવાઈવ કરી શકી નથી.” ક્લાસ ઓફ 2020માં તેના કો-સ્ટાર રહી ચૂકેલા રોહન મેહરાએ પણ તેના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.