Parineeti Chopra On Marriage With Raghav Chadha: બૉલિવૂડ અને રાજકારણ વચ્ચેનો સંબંધ નવો નથી. ફિલ્મ સ્ટાર્સ સિવાય ઘણી હસ્તીઓએ નેતાઓ સાથે લગ્ન કર્યા છે. સ્વરા ભાસ્કર બાદ પરિણીતી ચોપડા પણ સેટલ થવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે લગ્નની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે પરિણીતી ચોપડાએ લગ્નના સમાચાર પર મૌન તોડ્યું છે.


રાઘવ ચડ્ઢા સાથે લગ્નના સમાચારો પર પરિણીતી ચોપડાનું રિએક્શન  - 
ગઇ રાત્રે  એટલે કે 28 માર્ચ 2023ના રોજ પરિણીતી ચોપડા લગ્નના સમાચાર વચ્ચે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રીએ રાઘવ ચડ્ઢા સાથેના લગ્ન અંગેનુ કોઈ પણ નિવેદન આપ્યું ન હતું, પરંતુ તેણીની શરમજનક સ્માઇલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. લગ્નનો સવાલ સાંભળીને પરિણીતી શરમાઇ ગઇ અને તેની આંખો પણ ચમકી રહી હતી. એરપોર્ટ પર અભિનેત્રી સફેદ હાઈનેક સાથે બ્લેક કોટ-પેન્ટમાં ખૂબસૂરત લાગી રહી હતી.


પરિણીતી ચોપડા- રાઘવ ચડ્ઢાની સગાઇ  -
સમાચાર છે કે, પરિણીતી ચોપડાએ પણ રાઘવ સાથે સગાઈ કરી લીધી છે. AAP સાંસદ સંજીવ અરોરાએ પણ રૂમર્ડ કપલને અભિનંદન પાઠવ્યા હતા. સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા સંજીવે લખ્યું, “હું પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બન્નેને પ્રેમ, સુખ અને સાથીદાર બને, હું તેમને શુભેચ્છા પાઠવું છું. સંજીવના આ ટ્વીટ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે બન્ને ખરેખર એકબીજા સાથે પોતાનું આખું એકબીજા સાથે પસાર કરવાના છે.


પરિણીતી અને રાઘવના સંબંધોના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંને સતત બે ડિનર અને લંચ ડેટ પર સાથે જોવા મળ્યા. તેમની કેમિસ્ટ્રીથી અનુમાન થવા લાગ્યું કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. જો કે, લોકો બંને તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.






પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના સંબંધોના સમાચાર સામે આવ્યા, જ્યારે બન્ને સતત બેવાર ડિનર અને લન્ચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા. તેમની કેમેસ્ટ્રીથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બન્નેનું ડેટિંગ શરૂ થઇ ગયુ છે. જોકે, લોકોને બન્ને તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટનો ઇન્તજાર છે.