Ajith Phone: આજના સમયમાં ફોન એ જીવનની સૌથી મહત્વની જરૂરિયાત બની ગઈ છે. આધુનિક સમયમાં મોબાઈલ વગર ડિજિટલ દુનિયા સાથે જોડાયેલા રહેવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે સાઉથના સુપરસ્ટાર અજીત આજના યુગમાં પણ મોબાઈલનો ઉપયોગ કરતો નથી.


અજિત આજના યુગમાં પણ નથી વાપરતો ફોન 


અજિત અને ત્રિશાએ ચાર વખત સાથે કામ કર્યું છે અને આ જોડી અભિનેતાની 62મી ફિલ્મ માટે ફરી જોડાશે તેવું કહેવાય છે. ગયા અઠવાડિયે 'રંગી' આપનારી ત્રિશા તાજેતરમાં મીડિયાની વાતચીતનો એક ભાગ હતી અને તેને પૂછવામાં આવ્યું કે તેણે અજીતનો મોબાઈલ નંબર તેના ફોનમાં કયા નામે સેવ કર્યો છે. ત્યારબાદ અભિનેત્રીએ અજીત વિશે એક રમુજી હકીકત જણાવી હતી.






અજિતની આ વાતની પોલ ખોલી અભિનેત્રી ત્રિશાએ 


ત્રિશા જણાવે છે કે અજિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો નથી. અને તેનો સંપર્ક તેના સહાયક દ્વારા જ થઈ શકે છે. જે હંમેશા તેની સાથે હાજર હોય છે. એટલા માટે તેને અલગ મોબાઈલની જરૂર નથી લાગતી અને તેના લીધે અભિનેતા મોબાઈલ ફોન પોતાની પાસે રાખતો નથી.






એક્ટ્રેસ  ત્રિશાએ કહ્યું- અજિત પાસે મોબાઈલ જ નથી


અગાઉ એવું જાણવા મળ્યું હતું કે અજિત દરેક ફિલ્મ માટે તેનો સંપર્ક નંબર બદલતો રહે છે કારણ કે તે ઇચ્છતો ન હતો કે જ્યારે તે અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય ત્યારે અગાઉની ફિલ્મોના સભ્યો તેને પરેશાન કરે. જો કે અજીતની પત્ની શાલિની પાસે મોબાઈલ ફોન છે. અને તે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ એક્ટિવ છે. ભૂતપૂર્વ અભિનેત્રીએ તાજેતરમાં જ તેના પરિવાર સાથે અજિતની તસવીરો શેર કરી હતી અને આ તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ હતી.


અજિતનું વરકફ્રન્ટ 


અજિતની 'થુનીવુ' આ પોંગલમાં ભવ્ય થિયેટરમાં રિલીઝ થવાની નજીક છે અને નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની ચોક્કસ રિલીઝ તારીખ નક્કી કરવાની બાકી છે. 'થુનીવુ' બોક્સ ઓફિસ પર વિજયની 'વરિસુ' સાથે ટકરાશે.