MUMBAI : જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી પહોંચી. આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ઘરની બાલ્કનીમાં લગ્ન કર્યા હતા, જેની માહિતી તેઓએ પોતે સોશિયલ મીડિયા પર આપી હતી. લગ્ન બાદ જયારે આલિયા અને રણબીર પહેલી વાર ચાહકો સામે આવ્યા ત્યારે રોમેન્ટિક અંદાજમાં રણબીર કપૂરે આલિયાને પોતાના ખોળામાં ઉપાડી  લીધી. રણબીર આલિયા બહાર આવ્યા  ત્યારે ઢોલ વાગવા લાગ્યા તેમજ તેમના ચાહકોએ સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું. જુઓ આ વિડીયો 




આલિયા અને રણબીરના લગ્ન પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા. 5 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં રહેલા આ સ્ટાર કપલે પંજાબી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. મહેમાનો રંગીન કોઓર્ડિનેટેડ પોશાક પહેરીને આવ્યા હતા. જ્યારે પરિવારના સભ્યો ગુલાબી કલરના પોશાકમાં જોવા મળ્યા હતા, ત્યારે રણબીર અને આલિયાના મિત્રો સફેદ અને ગોલ્ડ કલરમાં આવ્યા હતા.


આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની શ્રેષ્ઠ તસવીરો શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે.આલિયા અને રણબીરના આ ખૂબ જ અનોખા લગ્ન હતા. કારણ કે બંનેએ ઘરની બાલ્કનીમાં સાત ફેરા લીધા હતા.


વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહેતા રણબીર કપૂરે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે આ ઘરની બાલ્કનીમાં ઘણી ખાસ ક્ષણો વિતાવી છે, તેથી બંનેએ તેને પોતાના લગ્નનું સ્થળ બનાવ્યું છે.


આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં આલિયા ભટ્ટે એક પ્રેમભર્યો સંદેશ પણ શેર કર્યો છે જેમાં આલિયાએ લખ્યું છે : “આજે, મારા પરિવાર અને મિત્રો વચ્ચેના અમારા મનપસંદ સ્થાન પર - બાલ્કની જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા હતા - અમે લગ્ન કર્યા. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી... સ્મૃતિઓ જે પ્રેમ, હાસ્ય, હૂંફાળું મૌન, મૂવી રાત, ઝઘડા, વાઇન આનંદથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે.”