અરબાઝે કહ્યું કે, સની લીયોન સાથે શોનું શુટિંગ કરતી વખતે એક એવો પણ સવાલ સામે આવ્યો હતો. જેને લઈને સની રડવા લાગી હતી. પણ આ સવાલ મે બનાવ્યો ન હતો. આ સવાલ પબ્લિક ડોમેઈનમાંથી હતો. એવામાં શું કરી શકાય. આ સવાલ ખૂબ જ ગંદો હતો જે સાંભળતા સની રડી પડી હતી.
અરબાઝે કહ્યું કે, સામાન્ય રીતે મારો પ્રયાસ એવો હોય છે કે, મારા સવાલથી કોઈ પરેશાન ન થાય. આ ઉપરાંત શો બાદ કોઈના અંગત જીવનમાં પણ અસર ન થાય એવા પ્રયત્નો હોય છે. સોશિયલ મીડિયાની એક મોટી સમસ્યા હોય છે પરંતુ, એક શોના માધ્યમથી આ સવાલ અમે દુનિયા સામે મૂક્યા છે. આ પરથી લોકો સમજી શકશે કે મનફાવે એવું લખવાથી કલાકારો પર કેવી અસર થાય છે. આ એવા સવાલ છે જેને સ્પષ્ટ શબ્દો જાહેરમાં બોલી શકાય એમ નથી.
અરબાઝ ખાને કહ્યું હતું કે, આ શોમાં મોટા ભાગનું કંટેન્ટ સ્ક્રિપ્ટેડ હોતું નથી. જ્યારે કોઈ કલાકાર આવે છે ત્યારે તેના વિષયો નક્કી કરવામાં આવે છે. આ સમયે સોશિયલ મીડિયા પર પૂછવામાં આવેલા સવાલો કરવામાં આવે છે. પણ ક્યારેક એવા ગંદા અને શરમજનક સવાલ આવે છે કે, કલાકારો કંઈ કહી શકતા નથી.