નવી દિલ્હીઃ બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી ટૂંકમાં જ ચિરંજીવીની સાથે ફિલ્મ સૈરા નરસિમ્હા રૈડ્ડીમાં જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ અહેવાલ છે કે શૂટિંગ દરમિયાન અનુષ્કા શેટ્ટીને ઈજા થઈ છે અને ડોક્ટરે તેને થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે.




મીડિયા રિપોર્ટ અનુસાર, એક સીનનું શૂટિંગ કરતી વખતે અનુષ્કાનું બેલેન્સ બગડ્યું જેના કારણે તેને પગમાં વાગ્યુ. જોકે સારવાર દરમિયાન ખબર પડી કે તેને પગમાં ફ્રેક્ચર થયું છે. ડોક્ટરોએ અનુષ્કાને થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે.



જણાવી દઈએ કે, ‘સૈરા નરસિમ્હા રેડ્ડી’માં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ દમદાર લૂકમાં જોવા મળે છે. આ તસવીરમાં બિગ બી વધેલી દાઢીમાં જોવા મળતા હતા.